________________
૧૪૮
જ્ઞાનપદ ભજીએ રે . અવળી ચાલના ઘોડા પર બેસવાથી પરતંત્ર થયેલા સવારને અંગભંગ તથા મરણાદિક દોષમાં તથા રૂના સમૂહના કોમળ સ્પર્શાદિક ગુણમાં સંશય રહિતપણું થાય છે, તથા તે અંગભંગાદિક અનર્થ, અને સુખ સ્પર્શાદિક ગુણની પ્રાપ્તિવાળું છે, એમ તે માને છે.
હવે તે જ આત્મપરિણતિમત્ જ્ઞાનનું લિંગાદિકથી નિરૂપણ કરતાં કહે છે–
तथाविधप्रवृत्त्यादि-व्यंग्यं सदनुवंधि च । . ज्ञानावरणहासोत्थं, प्रायो वैराग्यकारणम् ॥५॥
અર્થ– તેવા પ્રકારની પ્રવૃત્તિ આદિકથી પ્રગટ થનારું, તથા શુભ અનુબંધવાળું, તથા જ્ઞાનાવરણાદિકના નાશથી ઉત્પન્ન થયેલું અને પ્રાયઃ કરીને વૈરાગ્યના કારણરૂપ તે “આત્મપરિણતિમ” જ્ઞાન જાણવું. ૫
ટીકાનો ભાવાર્થ તેવા પ્રકારની અહિંસાદિકને વિષે જે પ્રવૃત્તિ આદિક તે થકી પ્રગટ થવારૂપ છે ચિહ્ન જેનું તથા પરંપરાથી મોક્ષફળને દેવારૂપ છે સદનુબંધ જેનો, એવું તે આત્મપરિણતિમત્ જ્ઞાન છે. હવે તે જ્ઞાન શું હેતવાળું છે? તે મતિ આદિક જ્ઞાનનું જે આવરણ, તેના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું તે જ્ઞાન છે, વળી તે જ્ઞાન તદનુંબંધી શી રીતે છે ? તે કહે છે કે તે જ્ઞાન પ્રાયઃ કરીને વૈરાગ્ય એટલે ઉત્તમ ભભવનાનું નિમિત્ત છે. કહ્યું છે કે
बालधूलिगृहक्रीडा-तुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥५॥
-યોણિતપુર “અજ્ઞાનરૂપી ગ્રંથીના ભેદથી બુદ્ધિમાનોને આ ભવની સઘળી ચેષ્ટા, વૈરાગ્ય ભાવના હોતે છતે, બાળકે કરેલા ધૂળના ઘરની રમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org