________________
શ્રી હરિભદ્રસૂરિવિરચિતં જ્ઞાનાષ્ટક
૧૪૭ હવે તે “વિષય પ્રતિભાસ” જ્ઞાન શું ફળ આપે છે? તે કહે છે. તે પોતાને અને પરને આલોક અને પરલોક સંબંધી મહા અપાયોના એટલે કે, મહા કષ્ટોના કારણરૂપ થાય છે. કેમકે તત્ત્વથી તે અજ્ઞાન જ છે, અને અજ્ઞાન છે તે મહા અપાયનું કારણ છે. કહ્યું છે કે
अज्ञानं खलु भो कष्टं, क्रोधादिभ्योऽपि सर्वापापेभ्यः । अर्थ हितमहितं वा, न वेत्ति येनावृतो लोकः ॥१॥
“અજ્ઞાન એ ખરેખર ક્રોધાદિક સર્વ અપાયોથી પણ કષ્ટકારી છે, કેમકે અજ્ઞાનથી વીટાયેલો માણસ હિત અથવા અહિત કાર્યને જાણી શકતો નથી.”
હવે બીજા “આત્મપરિણતિમ” જ્ઞાનનું સ્વરૂપ દેખાડવા માટે કહે છે.
पातादिपरतंत्रस्य, तद्दोपादावसंशयम् । . अनर्थाद्याप्तियुक्तं चा-त्मपरिणतिमन्मतम् ।। ४ ।।
- અર્થ– પતન આદિથી પરતંત્ર થયેલા પ્રાણીને તેના દોષાદિકને ' વિષે સંશય વિનાનું તથા અનર્થ આદિકની પ્રાપ્તિવાળું “આત્મપરિણતિમ જ્ઞાન માનેલું છે. ૪
ટીકાનો ભાવાર્થ– “પાતાદિપરતંત્રસ્ય” એટલે નીચી અને ઊંચી ગતિ માટે પરતંત્ર થયેલા એટલા વિષય અને કષાયાદિકે વશ કરેલા પ્રાણીને, તે કષાય આદિકથી થતા કર્મબંધ અને દુર્ગતિ આદિક દોષમાં અને (આદિ શબ્દથી) અભ્યદય આદિક ગુણમાં જે સંશય રહિત જ્ઞાન થાય છે, તથા જે કર્મ બંધન, દુર્ગતિ ગમનરૂપી અનર્થ અને પરંપરાથી મળતા મોક્ષરૂપી ગુણની પ્રાપ્તિવાળું છે, તેને તત્વના જાણનારાઓએ “આત્મપરિણતિમ” જ્ઞાન માનેલું છે. અહી દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org