________________
૧૪૬
જ્ઞાનપદ ભજીએ રે રીતે જણાવનારું હોય તે “વિષય પ્રતિભાસ” જ્ઞાન કહેવાય. કહ્યું
છે કે
विसयपडिभासमित्तं, बालस्सेव खु रयविसयंमि । वयणाइएसु नाणं, सव्वथ्थाणाण मोणेयं ॥१॥ હવે તે જ જ્ઞાનને તેના ચિહ્ન આદિકથી દેખાડતાં કહે છે- . निरपेक्षप्रवृत्त्यादि, लिंगमेतदुदाहृतम् । अज्ञानावरणापायं, महापायनिबंधनम् ॥ ३ ॥
અર્થ– (પાપ સંબંધી) શંકા વિનાની પ્રવૃત્તિ આદિક છે ચિત જેનું, તથા અજ્ઞાનના આવરણનો નાશ કરનારું અને મહા અપાયના કારણ રૂ૫, તે “વિષય પ્રતિભાસ” જ્ઞાન કહેલું છે. ૩
ટીકાનો ભાવાર્થ- આ લોક અને પરલોક સંબંધી અપાયોની (દુષ્ટ કાર્યોની) જે શંકા, કે જેમાંથી ગયેલી છે એવું જે પ્રવર્તનાદિક તે છે ચિહ્ન જેનું, તેને આખોએ “વિષય પ્રતભિાસ” જ્ઞાન કહેલું છે. તે શાથી થાય તે કહે છે. “અજ્ઞાન” એટલે મિથ્યાત્વના ઉદયથી દૂષિત એવાં જે મતિ, કૃત અને અવધિ જ્ઞાન (વિભંગ જ્ઞાન) તેના આવરણનો છે. ક્ષયોપશમ જેમાં એવું (મિથ્યાષ્ટિઓનું) જે મતિ, શ્રત અને અવધિ જ્ઞાન (વિભંગ જ્ઞાન) તે અજ્ઞાન જ છે. કહ્યું છે કે
अविसेसिया मइच्चिय, समदिद्विस्स सा मइनाणं । मइअन्नाणं मिच्छा-दिठिस्स सुर्यपि एमेव ॥१॥
“સમન્ દૃષ્ટિઓની જે બુદ્ધિ તે “મતિ જ્ઞાન છે અને મિથ્યાષ્ટિની જે બુદ્ધિ તે “મતિ અજ્ઞાન” છે, પણ મતિમાં કંઈ ફેરફાર નથી. શ્રુતજ્ઞાન ને શ્રુતજ્ઞાન માટે પણ એ પ્રમાણે જ સમજવું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org