________________
શ્રી હરિભદ્રસૂરિવિરચિતં જ્ઞાનાષ્ટક
૧૪૫ તેમાં ન હોય) તે જ્ઞાન અવિરતિ એવા સમન્ દૃષ્ટિઓને હોય છે. તથા જેથી પરમાર્થ જણાય અર્થાત્ હેય અને ઉપાદેય પદાર્થોથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ કરનારું જે જ્ઞાન તેને “સત્વસંવેદન” જ્ઞાન કહીએ. તે જ્ઞાન શુદ્ધ ચારિત્રીઓને હોય. એવી રીતના ત્રણે જ્ઞાનો મહા મુનિઓએ કહેલાં છે અને તે ત્રણે મત્યાદિ વિશેષ જ છે.
હવે પહેલા જ્ઞાનનું સ્વરૂપ કહે છેविषकंटकरत्नादौ, बालादिप्रतिभासवत् । विषयप्रतिभासं स्यात्, तद्धेयत्वाद्यवेदमकम् ॥ २ ॥
અર્થ– ઝેર, કાંટા અને રત્નાદિકોને વિષે બાલકાદિકનાં જાણપણાની પેઠે હેયત્વે આદિકનો નિશ્ચય નહીં કરાવનારું “વિષયપ્રતિભાસ” જ્ઞાન હોય. ૨
ટીકાનો ભાવાર્થ– વિષ એટલે અતિવિષ વચ્છનાગ આદિક તથા કંટક એટલે બાવળ આદિકના અવયવો (કાંટાઓ) વિગેરે હેય પદાર્થો તથા રત્ન એટલે મરકત મણિ આદિક બીજી ઉપાદેય વસ્તુઓ તેને વિષે બાલ તથા અતિમુગ્ધોનું જે જ્ઞાન, તેના સરખું “વિષય પ્રતિભાસ” જ્ઞાન હોય. હવે તે “વિષયપ્રતિભાસ” જ્ઞાન બાલ આદિકના જ્ઞાન સરખું કેમ છે? તે કહે છે કે - જ્ઞાન, શેય વિષયોનું તજવાપણું, તથા ઉપેક્ષવાપણું જણાવી શકતું નથી, અર્થાત્ બાલ આદિકનું ગ્રહણ કરવાપણું જ્ઞાન, જેમ વિષ આદિક વિષયના રૂપ આદિકને જ જાણે છે, પણ તેના હેયત્વે આદિક ધર્મને જાણતું નથી, તેમ જે જ્ઞાન ગ્રંથભેદ જેઓને નથી થયેલો એવા બહુશ્રુતોને પણ (તેઓના) મોહથી મલિન થયેલા મનપણાએ કરીને, અતત્ત્વોની હેયતાનો, તથા તત્ત્વોની ઉપાદેયતાનો વિચાર કરાવવામાં અસમર્થ હોય, અર્થાત્ તત્ત્વ અને અતત્ત્વને તુલ્ય જણાવનારું, અથવા ઊલટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org