SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જ્ઞાનપદ ભજીએ રે ટીકાનો ભાવાર્થ– નીતિ સહિત એવા સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ તે વિષે અતિચાર રહિત પ્રવૃત્તિ આદિકે કરીને જે જ્ઞાનની અનુમિતિ થાય છે, તેને જ્ઞાનનું સ્વરૂપ જાણનારાઓએ “તત્ત્વસંવેદન” જ્ઞાન કહેલું છે, હવે તે જ્ઞાન કેવા હેતુવાળું છે? તે કહે છે કે, ઉત્તમ એવું જે આભિનિબોધાદિક જ્ઞાન, તેના આવરણના ક્ષયોપશમથી થનારું અને નિર્વાણના કારણરૂપ ફળને દેનારું છે. આ અષ્ટકને સંપૂર્ણ કરતાં ઉપદેશ કહે છે - एतस्मिन् सततं यत्नः, कुग्रहत्यागतो भृशम । मार्गश्रद्धादिभावेन, कार्य आगमतत्परै ॥८॥ અર્થ– આગમનાં વચનોમાં તત્પર એવા માણસોએ કદાગ્રહ તજીને ઉપર કહેલા તત્વસંવેદના જ્ઞાનમાં, અને મોક્ષમાર્ગમાં શ્રદ્ધાદિક ભાવે કરીને હંમેશા ખૂબ યત્ન કરવો. ટીકાનો ભાવાર્થ– ઉપર કહેલા તત્ત્વસંવેદન જ્ઞાનમાં હંમેશાં આદર કરવો, કેવી રીતે કરવો? તે કહે છે કે જેથી શાસ્ત્રને બાધ આવે એવા કદાગ્રહને તજીને યત્ન કરવો; શા વડે કરવો? તે કહે છે કે, મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, તેનું જ્ઞાન, અને તેની સેવનાથી યત્ન કરવો. હવે તે કોણે કરવો? તે કહે છે કે, આપ્તનાં વચનમાં તત્પર થયેલા એવા માણસોએ કરવો. નવમા જ્ઞાનાટકનું વિવરણ સમાપ્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy