________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક
૧૪૩
સહજાનંદમાં મસ્ત રહે છે. તેવા યોગી પુરુષને સંયમમાં અરિત થવા પામતી જ નથી.
पीयूषमसमुद्रोत्थं, रसायनमनौपधम् ॥ અનન્યાપેક્ષમૈશ્ચર્ય, જ્ઞાનમાહુર્મનીષિળી: ૫૮૫૫ જ્ઞાનાષ્ટમ્પ ॥ સ્વોપજ્ઞ બાલાવબોધ :
पीयूषं क० अमृत केहवुं । असमुद्रोत्थं क० समुद्रथी उपनुं नहीं । रसायनं क० जरामरणहरण रसायन पणि । अनौषधं क० औषधरहित, बीजुं रसायन औषधजनित होई । अनन्यापेक्षं क० अन्य जे हाथीघोडाप्रमुख तेहनी अपेक्षा नहीं जिहां एवं । ऐश्वर्यं क० ठाकरपणुं, बीजुं तो अन्यापेक्ष हुई । ज्ञान क० ज्ञान । आहु क० कहिं छे । मनीषिण ० मोटा पंडित । ८
છુ જ્ઞાનાષ્ટપૂરું થયું બ્
અર્થ : મોટા પંડિતો જ્ઞાનને સમુદ્રથી ન ઉત્પન્ન થયું હોય તેવું અમૃત કોને કહે છે, જરા-મરણને હણનાર એવું ઔષધરહિત રસાયણ કહે છે, બીજું રસાયણ તો ઔષધજનિત છે. અન્ય હાથીઘોડા પ્રમુખની અપેક્ષા જ્યાં નથી એવું ઐશ્વર્ય-ઠાકુરપણું કહે છે, બીજું ઐશ્વર્ય તો અન્ય અપેક્ષવાળું હોય છે. ૮
આ જ્ઞાનાષ્ટક પૂરું થયું ॥ ॥
રહસ્યાર્થ ૮ : પ્રાજ્ઞ પુરુષો કહે છે કે જ્ઞાન સમુદ્રથી નહીં ઉત્પન્ન થયેલું અભિનવ અમૃત છે, ઔષધ વિનાનું અપૂર્વ રસાયણ છે અને બીજાની અપેક્ષા વિનાનું અથવા સર્વથી શ્રેષ્ઠ એવું અનુપમ ઐશ્વર્ય છે. ભાગ્યવંત ભવ્યો જ તેનો લાભ લઈ શકે છે. ભાગ્યહીનને તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. સૌભાગી ભમરો તેનો મધુર રસ પીએ છે અને દુર્ભાગી તેનાથી દૂર જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org