________________
૧૪૨
જ્ઞાનપદ ભજીએ રે રહસ્યાર્થ ૬ઃ મિથ્યાત્વને ભેદી સમકિત પ્રાપ્ત કરાવે એવું સભ્યનું જ્ઞાન જો પ્રગટ થાય તો તે સારભૂત જ્ઞાન પામી બીજા શાસ્ત્રપરિશ્રમનું કંઈ પ્રયોજન નથી. જો સ્વાભાવિક દૃષ્ટિથી અંધકાર દૂર થતો હોય તો કૃત્રિમ દીવાનું શું પ્રયોજન છે?સાચો દીવો જેના ઘટમાં જ પ્રગટયો છે તેને સહજ સ્વાભાવિક પ્રકાશ મળ્યા જ કરે છે. તેથી તે મિથ્યાત્વ-અંધકારનો વિનાશ કરી આનંદમગ્ન જ રહે છે. સારભૂત જ્ઞાન વિના લાખો ગમે ક્લેશકારક શાસ્ત્ર વિલોણથી શું વળવાનું? ચોખી દૃષ્ટિવાળાને એક પણ દીવો બસ છે, અને અંધ દૃષ્ટિને હજારો દીવાથી પણ ઉપકાર થઈ શકતો નથી. સમ્યગ્રજ્ઞાવાન સમ્યગ્દર્શન યા સમકિત રત્નના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ જ કહેવાય છે.
मिथ्यात्वशैलपक्षच्छिद, ज्ञानदंभोलिशोभितः ।
निर्भयः शक्रवद्योगी, नंदत्यानंदनंदने ॥७॥ , સ્વોપજ્ઞ બાલાવબોધઃ
ના - મિથ્યાત્વ રૂપ ને રૌત્ર ૪૦ પર્વત તેહનું ! પક્ષ 3 पांखनो। छिद् क० छेदहनहार जे । ज्ञानदंभोलि क० ज्ञानरूप वज्र तेणिं करी। शोभित क० विराजित। निर्भयः क० भयरहित। शक्रवत् क० इंद्रनी परि । योगी क० योगमार्गस्थ । नंदति क०नंदइ छई, क्रीडा करइंछइ। आनंदनंदने क० आनंदरूप नंदनवनइं विषइं ।७ ..
અર્થ : મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર એવા જ્ઞાનરૂપ વજથી વિરાજિત (શોભાયમાન), ભયરહિત યોગી ઈદ્રની જેમ આનંદરૂપ નંદનવનને વિષે ક્રીડા કરે છે. ૭
રહસ્યાર્થ ૭ : મિથ્યાત્વ પર્વતના પક્ષોને છેદવા સમર્થ જ્ઞાનરૂપ વજથી શોભિત મુનિ નિર્ભય છતાં શક્ર ઈન્દ્રની પેરે આનંદનંદનમાં વિચરે છે. રત્નત્રયી મંડિત મુનિ નિર્ભય છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org