________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક
૧૪૧ આ પ્રમાણે આત્મસંતોષ ઉત્પન્ન કરનાર મુષ્ટિજ્ઞાનની સ્થિતિ મુનિની ગણાય છે. મુષ્ટિજ્ઞાન સંક્ષિપ્ત છતાં સર્વોત્તમ છે, તેથી સર્વ પરભાવથી વિરમી મુનિ સહજ સ્વભાવરમણી બને છે.
अस्ति चेद् ग्रंथिभिदज्ञानं, किं चित्रैस्तंत्रयंत्रणैः । प्रदीपा: कोपयुज्यन्ते, तमोघ्नी दृष्टिरेव चेत् ।।६॥ સ્વપજ્ઞ બાલાવબોધઃ
अस्ति क० छई । चेद् क० जो । ग्रंथिभिद् ग्रंथिभेद तेहथी उपमुं। कारणे कार्योपचारः विषयप्रतिभासदलविकल आत्मपरिणामवंत हुउं एहएं। ज्ञान तो । किं कः स्युं । चित्रैः क० विविध प्रकार ते। तंत्रयंत्रणैः क० शास्त्रंबंधई करी, एह ज । अभ्यास परिपाकई तत्त्वसंवेदन थाई, तिवारइं भावचारित्र परिणांमइं, तिहां परसाधननी अपेक्षा नथी । इहां दृष्टांत। प्रदीपा क० दीवा। क्व क० किहां । उपयुज्यंते क० उपयोग पामई । तमोजी क० अंधकारनी हरनारी । दृष्टिरेव क० नजरि ज । चेत् क० - નો / ૬ ' અર્થ : કારણમાં કાર્યનું આરોપણ કરીને જ્ઞાનને ગ્રંથિભંગરૂપ કહ્યું છે. જો ગ્રંથિભેદથી ઊપજેલું વિષયપ્રતિભાસદલવિકલ (એટલે અનાત્મરૂપ ઇંદ્રિય વિષયોના પ્રતિબિંબરૂપ પાસાંથી રહિત) આત્મપરિણામવંત (આત્મપરિણતિવાળું) જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રબંધને કરી શું? (અર્થાત્ શાસ્ત્રબંધનનું શું કામ?) આ જ અભ્યાસના પરિપાક તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે. ત્યાં પરસાધન (શાસ્ત્ર જેવા)ની અપેક્ષા નથી. અહીં દૃષ્ટાંત, જો દૃષ્ટિ જ અંધકારને હરનારી છે તો દીવાઓ કયાં ઉપયોગ પામે (કામમાં આવે)? અર્થાત્ ઉપયોગમાં ન આવે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org