SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જ્ઞાનપદ ભજીએ રે કરી તેમાં તન્મય થવું તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. ‘મારુષ માતુષ’ જેવા એક પદથી પણ કલ્યાણ સાધી શકાય છે. તેવા જ વધારે પદ હોય તેનું તો કહેવું જ શું ? બાકી ભારભૂત એવા શુષ્ક જ્ઞાન માત્રથી કંઈ કલ્યાણ નથી. સ્વભાવતામાંાર-વ્યારાં (સ્મરાં) જ્ઞાનમિષ્યતે । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्-तथा चोक्तं महात्मना ।। ३ ॥ સ્વોપજ્ઞ બાલાવબોધ : स्वभावलाभ क० आत्मस्वभावनी प्राप्ति, तेहनोजे । संस्कार क० वासना तेहनुं । कारण एतलइं थोडइं घणई वीतराग वचनई चीतवई. वीतराग स्मरणइं आत्मातद्रूपताहेतु । ज्ञानं क० ज्ञान । इष्यते क० वांछिइं छर्इं । ध्यान्ध्यमात्रं क० धन्ध मात्र । अतस्त्वन्यत् क० एहथी अधिकुं जे भणवुं ते । तथा चोक्तं क० तिम ज कहिउं । महात्माई क० पंतजलि ऋषिं । प्रथम योगनी दृष्टिनी अपेक्षाइं एहनइं महात्मा कही बोलाव्यो । ३ અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર (વાસના કે મૂળ કે વૃત્તિ)ના કારણરૂપ જે જ્ઞાન છે તે ઇચ્છીએ છીએ, એટલે થોડાઘણાં વીતરાગવચન ચિંતવી વીતરાગસ્મરણ થવાથી આત્મામાં તદ્રુપતાના હેતુરૂપ જ્ઞાન ઇચ્છીએ છીએ. એનાથી અધિક જે ભણવું તે બંધ માત્ર (ધંધો) છે, તેમ મહાત્મા એટલે પતંજલિ ઋષિએ કહ્યું છે. પતંજલિ ઋષિને અહીં પ્રથમ યોગની દૃષ્ટિની અપેક્ષાએ મહાત્મા કહી ઉલ્લેખેલ છે. ૩ રહસ્યાર્થ ૩ : જેથી સ્વભાવ નિર્મલ થાય એટલે આત્મપરિણતિ સુધરતી જાય તે જ જ્ઞાન કહેવાય છે, બાકીનું જ્ઞાન તો કેવલ બોજારૂપ જ છે. આ સંબંધમાં યોગદૃષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રસૂરિજી બુદ્ધિના અન્ધકાર રૂપ નીચે પ્રમાણે જ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy