________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૨૯
તો પલટાતી નથી પરન્તુ શેય (વિષય)ની જુદી જુદી નવ પુરાણાદિ સર્વ વર્તનાઓ એક સમયમાં જણાય છે. ।। ૪।। બીજા (મત્યાદિ ચાર) જ્ઞાનની સર્વ પ્રભાનો આ જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે. કેમકે સૂર્યના તેજ થકી નક્ષત્રાદિ જ્યંતિક્રનો સમૂહ કાંઈ અધિક નથી ।।૫।। જ્ઞાનના અનન્તા ગુણ જે જાણે છે તે જ ધન્ય પુરુષ, જ્ઞાન અને મહાન્ ઉદયના મંદિર સમાન વિજયલક્ષ્મી દેવીને પ્રાપ્ત કરે છે, ॥૬॥
।। ઇતિ કેવલજ્ઞાન સ્તવન |
પછી જયવીયરાય કહી ખમાસમણ દઇ ઇચ્છકારેણ સંદિસહ ભગવન્ શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ ।। વંદણવ૦ // અન્નત્થ૦ / એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી નમોઽર્હત્ત્વ કહી થોય કહેવી તે આ પ્રમાણે—
શ્રી કેવલજ્ઞાનની થોય
// પ્રહ ઉઠી વંદૂ ।। એ દેશી ।।
છત્ર ત્રય ચામર, તરૂ અશોક સુખકાર 1 દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર ।। વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર । વન્દે લક્ષ્મીસૂરિ, કેવલજ્ઞાન ઉદાર ।। ૧ ।।
॥ ઇતિ સ્તુતિ //
પછી ખમાસમણ દઈ ઉભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવના દુહા કહેવા તે આ પ્રમાણે
—
શ્રી કેવલજ્ઞાનની સ્તુતિનો અર્થ
ત્રણ છત્ર, ચામર, સુખકર્તા અશોકવૃક્ષ, દેવધ્વનિ, દુંદુભિ (દેવ વાજિંત્ર), તેજે કરી ઝળહળતું ભામંડલ, દેવકૃતપુષ્પની વૃષ્ટિ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org