________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૨૭
સત્તા (૧૪૮ માંથી) પંચ્યાશી પ્રકૃતિની છે. (તે વખતે) કર્મ બાળેલી દોરડીના છાર જેવા હોય છે. જે પ્રભુના મન વચન કાયાના યોગો અચલ તથા વિકાર રહિત છે, તેઓ સયોગિ કેવલીની દશાને પ્રાપ્ત કરી તે દશામાં વિચરે છે. કેવળજ્ઞાનના અક્ષય વિજય લક્ષ્મીરૂપ ગુણો કહેવાય છે. (અથવા વિજયલક્ષ્મી સૂરિ અક્ષય કેવલ જ્ઞાનના ગુણો કહે છે.) | ૮ | ૯ |
॥ ઇતિ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન ॥
પછી નમુથુણં ૫ જાવંતિ∞ II નમોઽર્હત્ ॥ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે—
શ્રી કેવલજ્ઞાનનું સ્તવન ॥ કપૂર હોયે અતિ ઉજલો રે ।। એ દેશી ।।
શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષયિક ભાવે જ્ઞાન ॥
દોષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે // ભવિયા ! વંદો કેવલજ્ઞાન । ૧ ।।
પંચમી દિન ગુણ ખાણ રે ।।ભવિયા વંદો∞ ॥ એ આંકણી ॥ અનામીના નામનો રે. કિશ્યો વિશેષ કહેવાય ॥ એ તો મધ્યમાં વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે ।। ભ૦ ॥ વંદો૦ ॥ ૨ ॥
ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે, અલખ અગોચર રૂપ II પરા પશ્યતી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપરે ॥ ભટ
Jain Education International
॥ વંદો॰ ॥ ૩ ॥
છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય ॥ શેયની નવનવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે ।। ભ૦
॥ વંદો૦ | ૪ ||
For Personal & Private Use Only
www.jainelibrary.org