________________
૧૨૬
જ્ઞાનપદ ભજીએ રે શ્રી કેવલજ્ઞાન સંબંધી ચૈત્યવંદનનો અર્થ શ્રી જિનેશ્વર પ્રભુ ચાર જ્ઞાની થઈ શુકલ ધ્યાનના અભ્યાસ કરી અધિક અધિક આત્મસ્વરૂપને ક્ષણે ક્ષણે પ્રકાશે છે. l/૧ સુષુપ્તિ (નિદ્રા), સ્વપ્ન અને જાગૃત એ ત્રણ દશા દૂર થાય છે અને ચોથી જે ઉજાગર દશા તેહના અનુભવને જુએ છે ર// અપૂર્વ શક્તિના સંબન્ધથી ક્ષપક શ્રેણિએ ચઢી, ચોથા (સંજ્વલન) કષાયના વિયોગે કરી બારમું (ક્ષીણમોહ)ગુણઠાણું પામી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અત્તરાય એ ચાર દુષ્ટ નિબિડ ઘાતિકર્મનો ક્ષય કરી, પરમાત્મજાતિ થયા છે. // ૩ / સર્વ-વસ્તુમાં બે ધર્મ છે. તેનો પ્રભુને સમયાન્તર ઉપયોગ છે. (તેથી) પહેલા સમયે વિશેષપણે જાણે છે અને બીજે સમયે સામાન્ય ધર્મનો સમ્બન્ધ હોય છે. //પી સાદિ અનન્ત ભાંગાએ કરી અનંત દર્શન, જ્ઞાન અને તેરમુગુણઠાણું પામીને ભાવજિનેન્દ્ર જયવંતા વર્તે છે Ell (તે વખતે) કર્મની મૂલ (આઠ) પ્રકૃતિમાંથી એકવેદનીય) પ્રકૃતિનો બન્ધ થાય છે અને સત્તા તથા ઉદયમાં ચાર (વેદનીય, નામ, ગોત્ર ને આયુ) પ્રકૃતિ હોય છે. ઉત્તર પ્રકૃતિ (૧૨૦)માંથી એક (શાતા)નો બન્ધ હોય છે, ઉદયમાં (૧૨૨માંથી) બેતાલીશ પ્રકૃતિ રહે છે, // ૭ //
૧ મિથ્યાષ્ટિ જીવોને અતિશય શયન કરવારૂપ સુષુપ્તિ નામની પ્રથમ અવસ્થા હોય છે /1/ શયનરૂપ બીજી સ્વપ્ન અવસ્થા સમ્યગુષ્ટિ જીવોને હોય છે /ર// અપ્રમત્ત મુનિને ત્રીજી જાગ્રત અવસ્થા હોય છે. all અને ચોથી ઉજાગર દશા અનુભવની વૃદ્ધિથી આગળ આગળ ચઢતાં યાવત્ યોગિ કેવળી ગુણઠાણા સુધી હોય છે. જો પ્રથમની સુષુપ્તિ અવસ્થા મોહ મૂઢ આત્માને થતી હોવાથી અનુભવવત્ત મહાત્માઓને તે નથી હોતી, તેમજ બીજી સ્વપ્ન અને ત્રીજી જાગર દશાઓ પણ કલ્પનામાં ગુંથાયેલા જીવોને ઉત્પન્ન થતી હોવાથી કલ્પના વર્જિત અનુભવી મહાત્માઓને હોતી નથી. માત્ર અનુભવ જ્ઞાનમાં તો ચોથી ઉજાગર દશા જ હોય છે. કહ્યું છે કે.
नसुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्या चानुभवे दशा ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org