________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૨૩ પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંo / મન:પર્યવજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ / વંદણવoll અન્નથ્થ0 // એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી થોય કહેવી તે આ પ્રમાણે–
શ્રી મન:પર્યવજ્ઞાનની થાય
// શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર // એ દેશી // પ્રભુજી સર્વ સામાયિક ઉચરે, સિદ્ધ નમી દ્વારીજી // છઘસ્થ અવસ્થા રહે છે જિહાં લગ, યોગાસન તપધારી જી // ચોથું મનપર્યવ તવ પામે, મનુજ લોક વિસ્તારી જી // તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારી જી // ૧ /
શ્રી મન:પર્યવજ્ઞાનની સ્તુતિનો અર્થ તીર્થકર પ્રભુ અભિમાનને નિવારણ કરી સિદ્ધ ભગવત્તોને નમસ્કાર કરી સર્વવિરતિ સામાયિકનો ઉચ્ચાર કરે છે, અને જ્યાં સુધી છઘસ્થ અવસ્થા રહે છે ત્યાં સુધી યોગાસન અને તાપ ધારણ કરે છે. તે વખતે મનુષ્યક્ષેત્રમાં વિસ્તાર પામનારું ચોથું મન:પર્યવ જ્ઞાન તેઓ પ્રાપ્ત કરે છે. વિજયલક્ષ્મી અને સુખને કરનારા તે પ્રભુને હે ભવ્ય પ્રાણી ! તમે નમસ્કાર કરો. ૧/l
. . // ઇતિ સ્તુતિ / તે પછી ખમાસમણ દઈ ઊભા રહી મન:પર્યવજ્ઞાનના ગુણ આવવા અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે
શ્રી મન:પર્યવજ્ઞાનના દુહા મન:પર્યવ દુગભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ // ભાવ મનોગત સંશિના, જાણે પ્રગટ વિશુદ્ધ / ૧ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org