________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
અવધિજ્ઞાની જઘન્યથી અનન્તા રૂપી દ્રવ્યને સામાન્ય વિશેષોપયોગે જાણે દેખે છે. ઉત્કૃષ્ટથી સર્વ મૂર્ત્તિવન્ત પુદ્ગલ વસ્તુને જાણે છે ।।૪।। (દ્રવ્યથી૧) ।। ક્ષેત્રથી જઘન્યમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગને દેખે (એટલે કે) તેટલા ક્ષેત્રમાં જે પુદ્ગલ સ્કન્ધો છે તેને જાણે અને દેખે. II ઉત્કૃષ્ટથી (ચૌદ રાજ) લોકના પ્રમાણ જેવડા આલોકમાં અસંખ્યાતા ખાંડવા (ભાગો) દેખે, (૨) ।। કાલથી જઘન્યપણે આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે, ।।૬।। ઉત્કૃષ્ટથી અસંખ્યાતિ ઉત્સર્પિણી અવસર્પિણી ભૂત ભવિષ્યત્ કાલને જાણે દેખે. (૩) II હવે ભાવનો વિચાર સાંભળો. IIII જઘન્યથી એકેકા દ્રવ્યમાં ચાર (રુપ, રસ, ગન્ધ, સ્પર્શ) ભાવો (પર્યાયો) દેખે, ઉત્કૃષ્ટથી પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાતા પર્યાયો જાણે (૪) ૫૮૫ આ (દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી) ચાર ભેદો સંક્ષેપથી નન્દીસૂત્ર બતાવે છે. જેઓ જ્ઞાનની ભક્તિમાં રમણતા કરે છે તેઓ વિજય લક્ષ્મીરૂપ દેવીને પ્રાપ્ત કરે છે. ૯
૧૧૩
// ઈતિ ચૈત્યવંદન સમાપ્ત ॥
પછી નમુથુણં II જાવંતિ∞ II નમોઽર્હ ॥ કહી સ્તવન કહેવું, તે કહે છે.
શ્રી અવધિજ્ઞાનનું સ્તવન
॥ કુંવર ગંભારો નજરે દેખતાંજી ।। એ દેશી || પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમક્તિવંતને એ ગુણ હોય રે સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, મમનવ મહોદય જોય રે // પૂજો૦ / ૧ // શિવરાજ ઋષિ વિપર્યય દેખતો રે, દ્વીપ સાગર સાત સાત રે । વીરપસાયે દોષ વિલ્ટંગ ગયો રે, પ્રગટયો અવધિ ગુણ વિખ્યાત રે
|| પૂજો૦ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org