SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૨ જ્ઞાનપદ ભજીએ રે . જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા. ઉત્કૃષ્ટ સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુર્ણતા / ક્ષેત્રથી લધ્ધ અંગુલતણો, ભાગ અસંખિત દેખે / તેહમાં પુદ્રગલ ખંધ જ, તેહને જાણે પેખે // લોક પ્રમાણે અલોકમાંએ, ખંડ અસંખ્ય ઉકિક / . ભાગે અસંખ્ય આવાલિતણો, અદ્ધા લઘુપણે દીઠ // ૨ // . ઉત્સર્પિણી અસર્પિણીએ અતીત અનાગત અદ્ધા // અતિશય સંખ્યાતિગપણે, સાંભળો ભાવ પ્રબંધા // એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે ! અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ ગુરુથી પરખે // ચાર ભેદ સંક્ષેપથી એ, નંદીસૂત્ર પ્રકાશે / વિજયલક્ષ્મીસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે // ૩ // શ્રી અવધિજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ અવધિજ્ઞાન ત્રીજું કહેવું છે કે જે અવધિજ્ઞાનાવરણીય કર્મનો યોપશમ થવાથી ઈન્દ્રિયોની અપેક્ષા વિના આત્મપ્રત્યક્ષરૂપે પ્રગટ થાય છે //1ll જે જીવો દેવ તથા નરકમવને પ્રાપ્ત કરે છે તેઓને તો અવધિજ્ઞાન અવશ્ય થાય છે, તેમાં શ્રદ્ધાવંત સમકિતી જીવ અવધિજ્ઞાન પામે છે અને મિથ્યાત્વથી તો વિભંગ જ થાય છે. એટલે મિથ્યાત્વી વિભંગ જ્ઞાન પામે છે. //// મનુષ્ય અને તિર્યંચના ભવમાં ગુણ (અધ્યવસાયની નિર્મલતા૫) થી ઉત્તમ પરિણામ સંયોગે જીવ અવધિજ્ઞાન પામે છે. (ગુણથી પ્રાપ્ત થયેલા) અવધિજ્ઞાનનો ઉપયોગ "એક મુનિને કાઉસગ્નમાં હાસ્ય આવવાથી નાશ પામ્યો હતો. //all ૧ એક મુનિને કાયોત્સર્ગ ધ્યાનમાં અધ્યવસાયની વિશુદ્ધિથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાને લીધે અવધિજ્ઞાન ઉત્પન થયું, તે પ્રભાવથી તેણે સૌધર્મેન્દ્રની સભાને સાક્ષાત્ જોઈ. ત્યાં રીસાયેલી ઈન્દ્રાણીને મનાવતા ઈન્દ્રને જોઈને તેમને હાંસી આવવાથી તદાવરણીય કર્મનો ઉદય થતાં અવધિજ્ઞાન જતું રહયું. Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy