SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જ્ઞાનપદ ભજીએ રે, ઈચ્છે સાંભળવા ફરી પૂછે, નિસણે ગ્રહ વિચારતા રે // નિશ્ચય ધારણા હિમ કરે, ધીગુણ આઠ એ ગર્ણત રે // શ્રુતo Irl વાદી ચોવીશ જિનતણા એક લાખ છવીસ હજાર રે // બર્ગે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે // શ્રુતo Iull ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે . .. તસ અવતાર વખાણીએ, વિજયલક્ષ્મી ગુણ ગેહ રે // કૃતo lell શ્રુતજ્ઞાનના સ્તવનનો અર્થ શ્રીતીર્થકર મહારાજાએ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારે વર્ણવ્યું છે, તે શ્રુતજ્ઞાનરૂપી મહારાજાની ઉપધાન વહન કરવા વિગેરે આચારો વડે સેવના કરીએ, શ્રુતજ્ઞાનને વિષે મારું દિલ રાચી રહ્યું છે. સુખકર્તા પરમાત્માના આગમમાં દિલ તથા ચિત્ત રાવ્યું છે l/૧/l એક વિગેરે અક્ષરોના સંયોગ કરવાથી અકાર સંયોગી અનન્તા છે તેમજ સ્વપર પર્યાયોએ કરીને એક અક્ષર ગુણપર્યાય સ્વરૂપે અનન્તો છે (જો કે અક્ષરો સંખ્યાતા છે, તો પણ અક્ષરોના વાગ્ય અભિધેયો તથા તેના ધર્મો અનત્તા હોવાથી અનત્તા સંયોગો સિદ્ધ થાય છે) ર// અક્ષરનો (જ્ઞાનનો) અનત્તમો ભાગ હંમેશાં ઉઘાડો રહે છે, તે ભાગ તો અવરાતો જ નથી. સૂક્ષ્મ જીવનું એ જ્ઞાન છે / ૩ // શુશ્રુષા' (સાંભળવાની ઈચ્છા,) શ્રવણ કરવું ફરી પૂછવું મનમાં અવધારણ કરવું, ગ્રહણ કરવું, વિચારવું, નિશ્ચય કરવો, ધારણ કરી રાખવું. બુદ્ધિના એ આઠ ગુણ ગણાય છે જો ચોવીશ તીર્થકરોના ૧૨૬૨00 સર્વ સભામાં વાદીઓ છે. (આ વાદીઓને કોઈ પણ વાદમાં જીતી શકે નહિ) એ પ્રવચનનો અપાર મહિમા છે. / પી જે પ્રાણીઓ આગમને ભણે છે, ભણાવે છે, લખે છે, લખાવે છે, તે પ્રાણીઓના વિજયલક્ષ્મી રૂપ ગુણના મન્દિર સમાન જન્મના વખાણ કરીએ. I/II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy