________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૦૩
દ્રવ્યગુણપર્યાયે કરી જે એક પ્રદેશને જાણે છે તે સર્વ પ્રદેશને જાણે છે એવો નન્દીસૂત્રનો ઉપદેશ છે. IIFI ચોવીશ જિનેશ્વરના ઉપાધિથી વિમુક્ત થયેલા ચૌદ પૂર્વધર સાધુઓ '૩૩૯૯૮ છે. ૭ એકાન્ત વસ્તુ કહેનારા પરતીર્થિકોના જે સર્વશાસ્ત્રસમૂહ તે સમકિતવન્ત પ્રાણીએ ગ્રહણ કર્યો છતે સત્ય અર્થવાલા થાય છે, ।।૮।। જિનેશ્વર મહારાજ તથા શ્રુતકેવલિભગવન્તો જ્ઞાનાચારનું ચરિત્ર કહે છે– તેનું વર્ણન કરે છે તેથી શ્રુતપંચમીનું આરાધન કરવા વિજયલક્ષ્મીસૂરિ મહારાજનું ચિત્ત થયું છે. II ૯ ॥ ઇતિ ચૈત્યવંદન ॥ નમુક્ષુ || જાવંતિ || નમોઽર્હ સ્તવન કહીએ તે આ પ્રમાણે—
|| કહી
શ્રુતજ્ઞાનનું સ્તવન
|| હરિયા મન લાગો ।। એ દેશી ।।
શ્રી શ્રુત ચૌદ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજ રે ।। ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રુત મહારાજ રે //
શ્રુત શું દિલ માન્યો ॥ દિલ માન્યો રે, મન માન્યો, પ્રભુ આગમ સુખકાર રે | શ્રુતo || એ આંકણી ॥ ૧ ॥ એકાદિ અક્ષર સંયોગથી, અસંયોગી અનંત રે ।। સ્વપર પર્યાયે એકાક્ષરો, ગુણ પર્યાય અનંત રે મ્રુત૦ | ૨ ||
અક્ષરનો અનંતમો, ભાગ ઉઘાડો છે નિત્ય રે ।। તે તો અવરાએ નહીં, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે // શ્રુતo ॥ ૩ ॥
૧. ઋષભ૦ ૪૭૫૦, અજીત૦ ૩૭૨૦, સંભવ૦ ૨૧૫૦, અભિનન્દન૦ ૧૫૦૦, સમતિ૦ ૨૪૦૦, પદ્મપ્રભ ૨૩૦૦, સુપાર્શ્વ૦ ૨૦૩૦, ચન્દ્રપ્રભ૦ ૨૦૦૦, સુવિધિ ૧૫૦૦, શીતલ૦ ૧૪૦૦, શ્રેયાંસ૦ ૧૩૦૦, વાસુપૂજ્ય૦ ૧૨૦૦, વિમલ૦ ૧૧૦૦, અનન્ત૦ ૧૦૦૦, ધર્મ ૯૦૦, શાન્તિ૦ ૮૦૦, કુન્થુ૦ ૬૭૦, અર૦ ૬૧૦, મલ્લિ૦ ૬૬૮, મુનિસુવ્રત૦ ૫૦૦, નમિ૦ ૪૫૦, નેમિ૦ ૪૦૦, પાર્શ્વ૦ ૩૫૦, વર્ધમાન૦ ૩૦૦, કુલ. ૩૩૯૯૮ ચૌદપૂર્વી મુનિ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org