________________
૯૨
ગુણના દુહાનો અર્થ
શ્રોત્રાદિ ઇન્દ્રિયો તથા શબ્દાદિ પુદ્ગલો તે બન્નેનો સંબંધ થવાથી નેત્ર તથા મન સિવાયની ચાર ઇન્દ્રિયો વડે જે પ્રથમ અવ્યક્ત જ્ઞાન થાય છે તે 'વ્યંજનાવગ્રહ જાણવું. (આ દુહાની અંદર મતિજ્ઞાનના ચાર ભેદો બતાવ્યા છે, શ્રોત્રેન્દ્રિવ્યંજનાવગ્રહ ૧ ઘ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ. ૨ સ્પર્શનેન્દ્રિય ૩, ૨સનેન્દ્રિય ૩ વ્યંજનાવગ્રહ ૪) ||૫|
જ્ઞાનપદ ભજીએ રે
વ્યંજનાવગ્રહનો જઘન્ય કાળ આવલિકાનો અસંખ્યાતમો ઉત્કૃષ્ટ કાળ બેથી નવ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે. ચક્ષુ તથા મન વિનાની બાકીની ચાર સ્પર્શન, રસન, પ્રાણ, શ્રોત્ર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. (જે ઇન્દ્રિયોનો પોતાનાથી જાણવાલાયક પદાર્થની સાથે સંયોગરૂપ સંબન્ધ થવાથી જ્ઞાન થાય તે પ્રાપ્યકારી છે. (જે ઇન્દ્રિયોનો પોતાથી જાણવા લાયક પદાર્થની સાથે સંયોગરૂપ સંબન્ધ થવાથી જ્ઞાન થાય તે પ્રાપ્યકારી ઇન્દ્રિય જાણવી.) ચક્ષુ તથા મન એ બે અપ્રાપ્યકારી જ્ઞાની પુરુષોએ દીઠેલ છે. (જે ઇન્દ્રિયથી પોતાના વિષયની સાથે સંયોગ થયા વિના જ્ઞાન થાય તે અપ્રાપ્યકારી જાણવી.) ॥૬॥
ખમાસમણના દુહા
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ ।। પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ. ૭. II ખમા૦ | ૧॥
૧. જગતના પદાર્થ માત્ર ત્રણ પ્રકારના હોય છે. ૧ શેય, ૨ હેય, ૩ ઉપાદેય. તેમાં હેય અને ઉપાદેયપણું પણ જ્ઞાનથી જાણેલા પદાર્થોમાં જ હોય છે માટે તે બન્ને પણ શેય શબ્દથી અંગીકાર કરાય છે. ૨ ઇન્દ્રિયો તથા પદાર્થના સંબંધ વડે થવાવાળું પહેલું જે પદાર્થનું જ્ઞાન તે, આ વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનના મૂળ પાંચ ભેદો પૈકી પ્રથમ ભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org