SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ઉપાયો હોય તો યુદ્ધનો તો ત્યાગ જ કરવો. સામાદિ ત્રણ ઉપાયથી પણ કાર્ય સિદ્ધિ ન થાય તેમ હોય તો, અને અવશ્ય યુદ્ધ કરવું જ પડશે, એમ જણાય ત્યારે પ્રથમ રાજાએ કેમ કરવું તે બતાવે છે :પ્રથમ ઉદાર બુદ્ધિવાળા ચતુર દૂતને શત્રુની પાસે મોકલવો. તે શત્રુના સૈન્યની ગોઠવણ અને તેમના આવવા જવાના માર્ગ જાણે એવો હોવો જોઈએ. તેણે જઈ પ્રથમ મધુર વાક્યોથી શત્રુને પોતાનો અભિપ્રાય નિવેદન કરવો. તેમાં ફતેહ ન મળે તો પછી કડવી તથા તીખી વાણી વાપરવી. તેના આકાર, ભાષણ તથા ચેષ્ટિત પરથી કાર્ય સિદ્ધિ અથવા અસિદ્ધિ જાણી લેવી. સર્વથા પ્રકારે શત્રુના વિચારે અભિપ્રાય, તેની બળશક્તિ, બુદ્ધિબળ, કલાશક્તિ, ગમના ગમન વગેરે યથાસ્થિત જાણી લઈ પાછા આવી પોતાના સ્વામિને તે યથાવત કહી દેવું. દૂત દ્વારા એ સામો યુદ્ધની ઈચ્છા કરે છે, એમ જાણ્યા પછી તે રાજાએ મંત્રીવરોની સાથે દઢ મસલત કરવી. એવી ગોઠવણ રાખવી કે જેથી યુદ્ધમાં બહુ માણસોની ખુવારી થાય નહિ, કોઈ પણ નીતિમાર્ગથી શત્રુનું મન સંતોષ પામે તે કરવું પણ જો કોઈ પણ ઉપાયથી રણસંગ્રામથી તે ના પાછો વળે અને તે બરોબરીઓ હોય તો તેની સાથે યુદ્ધમાં ઉતરવું. આપણાથી શત્રુ બલવાન હોય તો બીજા બળવાન રાજાનો આશ્રય લીધા સિવાય તેની સાથે કદી યુદ્ધ કરવું નહિ. કેમકે બળવાનની સાથે યુદ્ધ કરવાથી જ પ્રાપ્ત થતો નથી ને ક્ષય તથા પશ્ચાતાપ થાય છે. પોતાથી હીન હોય તેના સામા પ્રત્યક્ષ રાજાએ જઈને યુદ્ધ કરવું નહિ, કારણ કે તેને જીતવાથી જગતમાં યશ મળતો નથી પરંતુ પરાજય થવાથી હાનિ તો થાય જ. अत्र स्वयमिति पदेनावश्यके कार्ये सेनान्यं प्रेष्य तजयो विधेय ત્યાતિમ્ ત્રીશમા શ્લોકમાં “સ્વય' એ પ્રકારનું પદ મૂક્યું છે. તનું તાત્પર્ય એટલે કે પોતાથી હીન બળવાળા રાજાની સાથે બળવાન રાજાએ યુદ્ધમાં ઉતરવું નહિ. યુદ્ધ કરવાનું આવશ્યક હોય તો સેનાધિપતિ મોકલીને જય મેળવવો. જાતિ વિજય થવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy