________________
૧૨
नित्यमाचारनिरतः पापकर्मपराङ्मुखः । सदा विचारयेन्न्यायं क्षीरनीरविवेचनम् ।। ६५ ।। कुलक्रमागतं मात्रं नृपयोग्यमुदीरयेत् । ईदृश: पुरुषो मंत्री जायते राज्यवृद्धिकृत् ।। ६६ ।।
સર્કુલમાં ઉત્પન્ન થયેલો, ધીરવાન, દાનેશ્વરી, સત્યવાદી, ન્યાયી, બુદ્ધિવાન, શૂરવીર, શાસ્ત્રને જાણવાવાળો, નિરવ્યસની, દંડનીતિને જાણનાર, પુરૂષ પરીક્ષક, સત્યાસત્ય ખોળવામાં પરાક્રમી, મિત્ર તથા શત્રુના અપરાધમાં સમાન આશયવાળો, ધર્મકાર્યમાં કુશળ, હમેશાં ભવિષ્યનો વિચાર કરનાર, આસ્તિકય આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં દૃઢ દૃષ્ટિવાળો, ષટ્કર્શનને ભજનારો, ગુરૂ તથા દેવાદિકનો ઉપાસક, સદાચાર પાળનારો, પાપ કર્મ થકી વિમુખ, ક્ષીર તથા નીરની પેઠે સતત ન્યાયને વિચારનાર, કુલ પરંપરાથી ચાલતાં આવેલાં યોગ્ય માર્ગ બતાવનાર, એટલા ગુણયુક્ત મંત્રી રાજ્યને વૃદ્ધિ કરનારો થાય છે.
मंत्रिशिक्षा
क्रोधाल्लोभात्तथोत्सेकाद्दर्पादपथि वर्त्तनम् ।
वर्जनीयं सदामात्यैर्वाच्यं नित्यं यथाहितम् ।। ६७ ।। व्यवहारे न कस्यापि पक्षः कार्यस्त्वयानघ । प्रजाहितैकनिष्ठत्वं धारणीयं निरंतरं ।। ६८ ।। परामर्शं विधायोश्चैः राज्यांगेषु च वैरिषु । तथा कार्यं यथा स्वामिकार्ये हानिर्न जायते ।। ६९ ।।
ક્રોધથી, લોભથી, ઉત્સેકથી અથવા દર્પથી મંત્રિએ અવળે માર્ગે દિ ચાલવું નહિ, રાજાનું જે પ્રકારે હિત થાય તે જ પ્રકારે મંત્રીએ બોલવું. હે પાપરહિત ! વ્યવહારમાં તારે કોઈનો પણ પક્ષ કરવો નહિ. નિરંતર પ્રજાના હિત તરફ જ લક્ષ રાખવો. રાજ્યના અંગો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org