SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પશુઓ કામે લાગે ત્યાંથી જ મનુષ્યની રોજગારીની શરૂઆત થાય છે. પશુએ કપાય છે તેમ ગ્રામ્ય ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ ભાંગતા જાય છે અને લેકે રેજગારી ગુમાવતા જાય છે. આ વાત ભારતના આર્થિક ઇતિહાસનાં પાનાંઓ ઉપર લખાઈ ગઈ છે. ' આત્મવંચના ગ્રામ્ય ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને માલ વાપર્યા સિવાય પશુઓને બચાવી લેવાય, કે જીવદયાને ફંડફાળાઓ દ્વારા જ પશુઓને બચાવી શકાય તેમ વિચારવામાં માત્ર આત્મવંચને છે. ભારતમાં પથરાયેલી બે હજાર પાંજરાપોળે કે જુદે જુદે સ્થળે ચાલતાં પશુઓ બચાવવાનાં છે જીવદયાનાં કામે દર વરસે જેટલાં પશુઓ કપાય છે તેને દશ ટકા પશુઓને પણ બચાવી શક્તા નથી. પાંજરાપોળના વ્યવસ્થાપક વેપારી વર્ગના માણસે છે. તેમને આવી દીવા જેવી સ્પષ્ટ વાત પણ કેમ સમજાતી નથી એ એક દુઃખદ આશ્ચર્ય છે ? શુદ્ધ હવા, પીવા માટે સ્વચ્છ પાણી, સાર-સત્તે પૌષ્ટિક ખોરાક, રહેઠાણ, કપડાં અને રોજગારી પછી જીવન જરૂરિયાતની ચીજો છે શરીરને અને બુદ્ધિને સ્વસ્થ અને સબળ તેમ જ તીવ્ર બનાવનારાં તાજાં દૂધ અને શુદ્ધ ઘી. આ બંને ચીજા પશુવસતિ વધાર્યા વિના અને સુધાર્યા વિના મળવી દુર્લભ છે. દૂધ-ઉત્પાદનના સરકારી આંકડા. અતિશયોક્તિભરેલા હોવા છતાં તે આંકડાના આધારે ગણતરી કરીએ તે પણ ભારતના નાગરિકને રોજ સરેરાશ ૧૦૦ ગ્રામ દૂધ મળી શકે હકીકતમાં એટલું મળતું નથી. મોટા ભાગના લેકેને માત્ર ચામાં જ ૫ થી ૧૦ ગ્રામ દૂધ મળતું હશે. શરીરને કાર્યક્ષમ રાખવા મનુષ્યને રોજ ઓછામાં ઓછુ ૧૩૫૦ ગ્રામ દૂધ મળવું જોઈએ, એ માન્ય કરાયેલી હકીક્ત છે. ઘણું દેશમાં ત્યાંની પ્રજાને માથાદીઠ રાજ ૧૫૦૦ ગ્રામથી ૫૦૦૦ ગ્રામ સુધી દૂધ મળે છે. જ્યારે આપણે ત્યાં માત્ર ૫ થી ૧૦ ગ્રામ દૂધ મળે એ કેટલી કંગાલ, દયાજનક અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy