SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ સે વરસ પહેલાં દેશનાં લગભગ તમામ નદી-નાળાંમાં બારે માસ પાણી વહેતું. એ પાછું જમીન નીચે નદીના તળમાંથી ઝમીને ભૂગર્ભમાં જમા થતું અને ત્યાંથી સરવાણી રૂપે વહેતું થઈને કૂવામાં આવતું. જમીનનું ધેવાણ થઈને તેની માટી નદીઓમાં અને તળાવમાં પડવા લાગી. એટલે નદીઓનું તળ ઊંચું આવવા લાગ્યું. જમીનનું ધોવાણ હજારે વરસ સુધી ન થયું અને માત્ર સે વરસમાં જ કેમ થવા લાગ્યું? –એ પ્રશ્ન કોઈને પણ થાય એ સહજ બાબત છે. • એ વાણુ જગલેને નાશ કરી નાખવાથી અને ચરિયાણેનું નિકંદન કાઢી નાખવાથી થયું. નદીકિનારા ઉપરનાં વૃક્ષનાં મૂળ અને નદીકિનારાઓના ઢાળ ઉપર ઊગેલાં ઝાડ અને ઘાસનાં મૂળ, નદીકિનારાઓને મજબૂત પકડી રાખતા અને ચોમાસાનાં પૂરમાં તેનું રક્ષણ કરતાં. આ કિનારાઓ પણ નદીના તળિયાથી ૨૦ થી ૫૦ ફૂટ હતા. કિનારા પરનાં વૃક્ષો અને ચરિયાણે કપાઈ જવાથી આ કિનારાઓ રક્ષણ વિનાના થઈ ગયા, અને દર માસે પૂરથી તૂટી જઈને નદીની અંદર પડીને, નદીને છીછરી બનાવી દેવા લાગ્યા. આ કિનારાઓ ઘસાઈને હવે ભાગ્યે જ એકથી બે ફૂટ ઊંચા રહ્યા હશે. સાબરમતી જેવી મહાનદીમાં ૩૦ ફૂટ રેતી ભરાઈ ગઈ છે અને ખંભાતના અખાતનું તળિયું ૪૦ ફૂટ ઊંચું આવી ગયું છે. જંગલે કેમ અને શા માટે કપાયાં તે આગળ ઉપર જણાવાશે. નદીઓ છીછરી બનીને સુકાઈ ગઈ. નદીઓનું પાણી જમીન નીચે કમ્યા કરતું તે બંધ થઈ ગયું એટલે જમીનની નીચેને પાણી પુરવઠો કપાઈ ગયે. - જ્યાં સુધી નાના ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગો હતા ત્યાં સુધી પાણીને વપરાશ એ છે હતે. અને દરેક ગામડે થોડું થોડું પાણી વપરાતું એટલે પાણીના પુરવઠા ઉપર બે પડતે નહિ. મોટાં કારખાનાં અને રેલવે થતાં પાણને વપરાશ એકદમ વધી, ગ અને એ સ્થળે એ જમીનની નીચે પાણીનું તળ નીચે જવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy