SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કાપક તરફ વધારવામાં જે કરવા મા gિ કાંતનારા નથી. એ બંધ થયાં. જેઓની ખરીદી આંધ અને બિહારની ખાદીને સુધારવામાં મદદગાર બને તેમ હતી, તેઓ હવે મિલના કાપડ તરફ વળી ગયા. કાંતે તે પહેરેને નિર્ણય કરવા પાછળ શુભ ઈરાદે હેય એમ માની શકાતું નથી. જે એવી દલીલ કરવામાં આવે કે આવા નિર્ણયને હેતુ કાંતનારાઓની સંખ્યા વધારવાનું હતું તે એ દલીલ ગળે ઊતરે તેવી નથી. કારણ કે જે પ્રતિજ્ઞાબદ્ધ વ્યક્તિએ ખાદી સિવાય બીજું કાપડ પહેરી શકે તેમ ન હતી, તેમણે જ્યારે કાંતવાનું શરૂ કર્યું ત્યારે તેમનું સ્તર વણાવી આપવાની યોગ્ય વ્યવસ્થા ન હતી. મેં મારા હાથે કાંતેલા ૫૪ નંબરના સૂતરની આંટીઓ ધેતિયાં બનાવવા ખાદીભંડારમાં આપી હતી, તેમાંથી એક ધેતિયું મને નવ મહિને મળ્યું અને બીજું તેર મહિને મળ્યું. ખરી વાત તે કદાચ એમ હશે કે ખાદીક્ષેત્રના માંધાતાઓએ વધુ ખાદી ઉત્પન્ન કરી લેકોની માગ સંતોષવાની પિતાની અશક્તિને છુપાવવા આ નિર્ણય કર્યો હશે, અથવા તેમાં ઘૂસેલા મિલના ભાંગ- ફેડિયા એજન્ટોએ આ બેટો નિર્ણય લેવડાવી મિલનું કાપડ પહેરનારા લોકોને ખાદીના બજારમાં આવતા રોકવા માટે ઊંધે પાટે, ખાદીક્ષેત્રને ચડાવી દીધું હશે. એ તે જાણીતી વાત છે, કે ખાદી-કાર્યકરોમાં મિલ સાથે સંકળાયેલી વ્યક્તિઓ હતી. અને મિલેની ખરીદાયેલી વ્યક્તિઓ અંદરખાનેથી ખાદીની જાત સુધરતી અટકાવવાનું, તેને મેંદી બનાવવાનું, તેના વિકાસમાં વિને નાખવાનું કામ શરૂઆતથી કરતી હતી એમ માનવું પડે છે. | પરિણામ એ આવ્યું કે સ્વાધીનતા મળ્યા પછી ખાદી કાપડના ઉત્પાદનમાં પિતાને કશે ફાળે આપી શકી નથી. મુંબઈનાં પરાંઓમાં - જ્યાં કાપડની સેંકડે દુકાને ધમધોકાર ચાલતી ત્યાં ખાદીની દુકાન એક પણ નથી. અમુક અમુક પરાંઓમાં જે ખાદીની દુકાને છે તેમાંની - ઘણી તે નાની હાટડી જેવી છે અને મુંબઈમાં ૧૭ ખાદીભંડારે વેચાય તેટલી ખાદી પણ નથી વેચી શક્તા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy