SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શરૂ થતાં તેમણે તેમની તેપનાં મુખ અંગ્રેજો સામેથી ફેરવીને મીર કાસમના સૈન્ય તરફ વાળી દીધાં. પરિણામે મીર કાસમ હાર્યો. બંગાળ ઉપર અંગ્રેજોને સંપૂર્ણ કબજો જામી ગયે. આર્કટને નવાબ અંગ્રેજોના તાબેદાર જેવું બની ગયું હતું. સુરતને નવાબ પણ અંગ્રેજોના થઈ રહેલા ઉદય સામે લાચાર હતે. કારણ કે દિલહીનું તખત ડેધી રહ્યું હતું. દિલ્હી સુરતને કાંઈ મદદ આપી શકે તેમ ન હતું. એટલે સુરત, મદ્રાસ અને બંગાળ ત્રણે સ્થળોએ અંગ્રેજી સિતમની એક સરખી શરૂઆત થઈ. આ જુલમ જહાંગીરીની કથા એટલી વિસ્તૃત છે કે એક અલગ પુસ્તક થઈ જાય, માટે અહીં આપણે માત્ર રૂપરેખાથી જ સંતોષ માનવે પડશે. વણકર ઉપર વરસેલી જુલમની ઝડીઓ - તેઓ વણકરે સાથે અમુક કાપડ લેવાના કરા કરતા અને પછી તરત જ એ માલની માગણી કરતા. વણકર માલ ન આપી શકે એટલે તેની ઉપર કોઠીમાં આવેલી અંગ્રેજી અદાલતમાં મુકદ્દમે જાલે. કેટે હુકમ કરે કે વણકર આળસુ થઈને બેસી રહે છે. ઝડપથી માલ બનાવતા નથી અને તેમ કરી તે કરારને ભંગ કરે છે, માટે તેના ખરચે તેને ઘેર અંગ્રેજ ચેકીદાર બેસાડ, વણકર આ દિવસ કામ કરતે રહે તેની તે દેખરેખ રાખે. . આ ચેકીદાર વણકરને ગાળ આપે, તેના કુટુંબના સભ્યના દેખતાં તેને હેર માર મારે. વણકર આવા જુલમથી ત્રાસી ગયા. જેમણે માલ આપવાના કરાર ન કર્યા હોય અને પિતાના જોખમે કાપડ તૈયાર કર્યું હોય તે કાપડ અંગ્રેજો બજારભાવ કરતાં ૨૦થી ૬૦ ટકા એ છે ભાવે પડાવી લેતા. આ જ હાલત કાપડના વેપારીઓની પણ થતી. આ જુલમ ગુજારવામાં અંગ્રેજોની મુરાદ, એક તે વેપારીઓને અને વણકરેને લૂંટીને તેમની સંપત્તિ પડાવી લેવાની હતી. બીજી વધુ અગત્યની મુરાદ હતી-વણકરને વણાટને ઘધે બંધ કરાવવાની અને વેપારીઓને કાપડને વેપાર બંધ કરવાની, જેથી ખાદીનું ઉત્પાદન બંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy