SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ અને ઘેરી, નાદિર અને અબ્દુલ્લી તમામ આવી ગયા. શહેશે લૂટયાં, -બાળ્યાં, કતલે ચલાવી, પણ તેમનાં આક્રમણ અને લૂંટ શહેરથી આગળ વધી શકયાં નહિ. આપણી સમાજવ્યવસ્થાને કે અર્થવ્યવસ્થાને ખળભળાવી શકયાં નહિ. રાષ્ટ્રનું દરેક ગામડું, દરેક ઝૂંપડું ઉત્પાદન કેન્દ્ર હતું. દરેક ઘરમાં ચૂલે, ચરખ, ઘંટી વલેણું અને ખાંડણિયું અવિરત ચાલુ હતાં. એ ચાલુ હતાં ત્યાં સુધી દરેક ગામની વણાટ સાથે અને બીજા ઉદ્યોગ પણ અવિરત ચાલુ હતાં. તેમાંથી ઉત્પાદનને, નવી મૂડીને, સંપત્તિને ધ અવિરતપણે દેશમાં વહેતે રહે. આક્રમણકારો જે લુટી જતા તે તે માત્ર આપણા એંઠવાડ જેટલું જ હતું. લૂંટી જનારા થોડાં જ -વરમાં પાછા ભિખારી બની જતા. કારણ કે તેમની પાસે આપણાં ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા સંપત્તિ પેદા કરવાની સૂઝ ન હતી. લૂંટથી સમૃદ્ધ નથી થવાતું. સમૃદ્ધિનાં મૂળ સસ્તા ઉદ્યોગ અને બચતમાં છે. અને ઉપર લખેલ ચતુવિધ રક્ષા તેમ જ દેનિક પાંચ ય સિવાય ઉદ્યોગ સસ્તા બને નહિ, બચત થઈ જે મુસલમાન બાદશાહે અહીં સ્થાયી થયા તેમણે વધબંધી અને ખાદીથી પેદા થતી સમૃદ્ધિ, સંસ્કૃતિ અને સામાજિક શક્તિ જોઈ. તેનાથી પ્રભાવિત થયા. મુસ્લિમ કોમને ઉત્કર્ષ પણ તેમણે તેમાં જ -જો અને સંપૂર્ણ ગૌવધબંધી જાહેર કરી. ખાદીને, કલાકારીગરીને અને વેપારને સંપૂર્ણ રક્ષણ અને ઉત્તેજન આપવા કેમ કે ધર્મના ભેદભાવ કવિના પ્રયાસે ક્ય. ઢાકાની મલમલ બનાવનારા તમામ કારીગરો હિંદુ હતા, અને છતાં અકબરથી તે બંગાળના નવાબ અલી દીખાન સુધીના તમામ મુસ્લિમ શાસકોએ તેમને પૂરું રક્ષણ અને સહાય આપ્યાં. ગોવધ-બંધીમાં તેમણે સમસ્ત મુસ્લિમ કોમનાં રોજીરોટી અને ઉત્કર્ષ યાં, અને સંપૂર્ણ ગોવધબંધી કરીને રાષ્ટ્રને શક્તિશાળી તેમ જ સમૃદ્ધ બનાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy