SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ અને પ્રજાને સંગઠિત અને સમૃદ્ધ રાખવાની એક પ્રચ· શક્તિ રહેલી છે એની તે કોઈને કલ્પના પણ ન હતી. આજે પણ ભાગ્યે જ કોઈ એ સ્વીકારતું હશે. ખાદી એટલે જાડુ, સસ્તું કાપડ એવી ભૂલભરેલી સમજણથી એમ કહેવાય છે કે ગાંધીજીના નિકટના સાથી જમનાલાલ બજાજે લાક માટે જાપાનથી જાડું, સસ્તું કાપડ મગાવ્યું હતું. ગાંધીજીને આ વાતની ખખર પડી એટલે તરત તેમની ભૂલ સમજાવી અને કહ્યું કે ખાદી એટલે જાડું સસ્તું કાપડ નહિ, પણ ખાદી એટલે હાથે કાંતેલુ અને હાથે વણેલું કાપડ. ખાદી છ નબરના સૂતરનું વહાણુના સઢ જેવું જાડું કાપડ પણ હાય અને ચારસા નબરના સૂતરનું ખારીકમાં ખારીક કાપડ પણુ હાય. એ પચીસ પૈસે મીટર પણ હોય અને પાંચસે રૂપિયે મીટર પણ હાય. આજથી ૨૧૦૦ વરસ પહેલાં રામના સમ્રાટ ભારતની ખાદીના વજન ખરેખર સોનું આપીને ખાદી ખરીદતા. ખાદીને તેની કિંમત, મુલાયમતા કે ખરબચડાપણા સાથે સંબંધ નથી. તેને સંબંધ છે તકલી, ચરખા અને હાથસાળ સાથે. આ પ્રજાની અદ્ભુત શાધ મહાન આય પ્રજાની ગેસંવધન, પંચામૃત, પંચગવ્ય અને ખેતીની શોધ પછી ખાદી પણ એક અદ્ભુત અને વૈજ્ઞાનિક શાષ હતી. ઋષિમુનિએ કાંતણુ અને વણાટની કલા ઉપર મુગ્ધ હતા. વેદમાં સ્થળે સ્થળે કાંતણુ અને વણાટના ઉલ્લેખ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં ઋષિસુનિઓએ કુદરતનાં પણ ના કરતાં કરતાં ઉપમા માટે સ્થળે સ્થળે કાંતણ અને વણાટ શબ્દોના ઉપયાગ કર્યાં છે. સગાસંવર્ધન, પંચામૃત, પંચગવ્ય, ખેતી અને ખાદી એ આપણા ઋષિષુનિએની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક શાષ હતી. પશ્ચિમની પ્રજાએ ઘણાં જ્યાં તેમાં ફેરફાર કરવા પ્રયત્ન કર્યો ત્યાં ત્યાં એ ઉત્કૃષ્ટ ચાધાનું અવમૂલ્યન કરી નાખ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy