SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ યુવાન જવા માટે નીચે ઊતર્યો ત્યારે ઘરમાં સહુને આની વધામણી આપી. સહુ ખુશ થઈ ગયાં. શેઠાણું કહે, “ભાઈ ! તમારા બહુ મોટો ઉપકાર થયે. તમે અગાઉથી તેમના મગજમાં બીજ રોપ્યાં હતાં એટલે શાસ્ત્રીજીના વચનામૃતે તેમનું મન ફેરવી નાખ્યું. તમારે ઉપકાર અમે કદી નહિ ભૂલીએ.” યુવાન કહે, “ઉપકાર મારે નહિ, પરમેશ્વરને અને બીજો આવા ગ્રંથ લખનાર વેદ વ્યાસજીને.” પંદર મિનિટના કથાશ્રવણે પણ જીવનને રાહ કે પલટી નાંખ્યો? [૧૮] સમાજદર્શન આ જમાનામાં પણ જેને શ્રીમંત કહી શકાય એવા કુટુંબની આ વાત છે. વૃદ્ધ વિધવા, બે દીકરા અને દીકરાઓની પત્નીપુત્રોનું બનેલું કુટુંબ. બાજુ બાજુનાં બે દીવાનખાનાં અને તે દીવાનખાનાંઓને લગતી એરડીઓમાં રહે છે. પૌત્રે મહિનામાં એકાદ બે વાર મહાબળેશ્વર માથેરાનની સહેલગાહે પણ જાય છે. અને પુત્રોનાં રસોડાં જુદાં છે. માને અકસમાત થયે. ઘૂંટણનું હાડકું ભાંગ્યું. હોસ્પિટલમાં ત્રણ મહિના પ્લાસ્ટરમાં રહ્યાં, પછી ઘેર આવ્યાં ત્યારે ડેકટરે કહ્યું કે ચાર છ મહિના સુધી માલિશ કરાવજે એટલે સોજો ઊતરી જશે અને દુખાવો મટી જશે. કુટુંબને એક બહુ મોટા વેદ સાથે સારે છે. એટલે વૈદરાજે પિતાના જાણીતા એવા હાડવૈદ અને મસાજિસ્ટને માલિશ માટે મોકલ્યા. મસાજિસ્ટને થોડુંઘણું આયુર્વેદનું અને સાધારણ નાડીનું પણ જ્ઞાન ખરું. - મહિનામાં તે સેજો ઊતરી ગયું અને દુખાવો પણ મટી ગયે. પણ માજી ઊભાં થઈ શકે નહિ. મસાજિસ્ટે કહ્યું કે ગઠણનું હાડકું બેસાડવામાં જરા ફરક રહ્યો છે, પણ આ જાતના ફેફચરમાં આવી ખેડ તે સામાન્ય રીતે રહે છે જ. માજી ઊભાં નથી થતાં તેનું કારણ વૃદ્ધાવસ્થાની નબળાઈ છે. માટે તેમને શક્તિની દવા આપે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy