SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ [૮] સમાજદર્શન જાણે છે? દેશમાં કારખાનાંઓની સહુથી વધુ સંખ્યા કયા કારખાનાંઓમાંથી રાજાજી કે કાકા પતિશંકર વિવાથી પ્રજાને પરદેશી વિચારસરણ, પશ્ચિમી સંસ્કૃતિ, પરદેશી હિંસક અને શેષક અર્થવ્યવસ્થામાં પલેટવા સ્કૂલ અને કોલેજો રૂપી ફેકટરીએ શિક્ષણક્ષેત્રે સહુથી વધારે છે. આશરે પાંચ લાખ સ્કૂલે, ૩૨૫૩ કોલેજો અને ૧૦૬ યુનિ. વર્સિટીઓના માર્ગદર્શન નીચે ૧૩ લાખ ૬૬ હજાર શિક્ષક, ૯ કરોડ ૨૫ લાખથી વધુ બાળકોનું પશ્ચિમીકરણ કરી રહ્યા છે. - પશ્ચિમીકરણની આ ક્રિયા માટે પાંચ પંચવર્ષીય જનાઓમાં ૧૩ અબજ રૂપિયા ખરચવામાં આવ્યા છે. છતાં આ કારખાનાંઓમાંથી છેલ્લાં ૩ર વરસમાં એક પણ રાજાજી કે કૃપલાણી, મહર્ષિ દંડનબાબુ કે ગણપતિશંકર વિદ્યાથી નીકળ્યા નથી. આર્યસમાજને દાવો છે કે સરકાર કરતાં બીજે નંબરે આર્ય સમાજ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે છે, છતાં તેમની સંસ્થામાંથી પણ હજી સુધી એક પણ શ્રદ્ધાનંદ સ્વામી દેશને મળ્યા નથી. આ શેષક અને હિંસક અર્થવ્યવસ્થા, આ પંચવર્ષીય યોજનાઓ, આ આર્થિક અને વેપારી નીતિઓ બેટી છે, અવહેવાર છે, રાષ્ટ્રઘાતક છે એ બુલંદ સ્વર ગજાવનાર એક પણ વિરલે આ કારખાનામાંથી નીક નથી.' નીકળ્યા છે, માત્ર હજારે પક્ષપલટુએ, હજારો વિશ્વાસઘાતીઓ, અને ગ્રીનકાર્ડ મેળવવાના ઉસુકે, આપણા જ ધર્મ, સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થાના મૂળમાં ઘા મારનારા સિક્યુલરિસ્ટો. જે રાજ્યમાં કેળવણીનું પ્રમાણ વધારે છે તે રાજ્ય બેકારીમાં - પણ ખરે છે. આ કેળવણી તમામને કામ આપી શકતી નથી, નેકરી પણ આપી શકતી નથી. તે સદાચાર અને કુલાચાર ભુલાવી ભ્રષ્ટાચાર અને પાપાચાર શીખવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy