SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૪૧ જમાં તેમનું બ્રેઇન-વોશ કરી નાખવામાં આવ્યું છે. (મગજમાં ભ્રમણા પેદા કરવામાં આવી છે) પછી શી રીતે આ વાત સમજાય? [૬] સમાજદર્શન ભરયુવાન વયના આ વેપારીના દીકરા આજે મૂઈ પડયો છે. બાપદાદાના વખતથી ચાલતી દુકાન સંભાળીને પ્રામાણિકપણે કમાણી કરી ગુજારો કરતા આ યુવાન હુપતા માગતા અધિકારીએના રોષને ભાગ બન્યા છે. કોઈ પણ ચીજવસ્તુમાં ભેળસેળ ત્યારે જ થઈ શકે, જ્યારે તેની ઉગ્ર અછત હાય. એ ભેળસેળ અટકાવવાના વહેવારુ ઉપાય એ છે કે અછતની ચીજનું ઉત્પાદન વધે તેવાં પગલાં લેવાં, પશુ સરકારને આવી સાદી સમજની વાત મજૂર નથી હાતી. એ તેા ભેળસેળ અટકાવવાના કાયદા કરે છે. પછી અછત વધે. તેમ તેના કાયદા પણ વધે છે, તેથી પરિસ્થિતિ વધુ કથળે છે. પિરણામે ભેળસેળ-પ્રતિભ ધક કાયદા. તેની પેટાકલમો, તેના અમલ કરનાર અધિકારીઓ અને તેના ખરચા વધતા જાય છે. પછી પ્રજાની મુશ્કેલીએ વધે છે. ભેળસેળિયા અધિકારીઓને હપતા આપીને ભેળસેળ ચાલુ. રાખે છે. પ્રામાણિક વેપારીએ આરાપી તરીકે કેટ માં ઘસડાય છે. કોટમાં આવા કેસા વધતા જાય એટલે નવી કોર્ટો ખેાલવી પડે. વકીલે માટે ધધાનું એક નવું ક્ષેત્ર ખૂલી જાય છે. આ યુવાન ઉપર અનેક આરા મુકાયા છે. તે હપતા આપીને છૂટી ગયા હત, પણ એણે લડવાનું પસંદ કર્યુ. વરસા સુધી લડીને * તે નિર્દોષ છૂટી ગયા. પશુ લડવામાં ધ્યાન રોકાવાથી ધધમાં પૂરું. ધ્યાન રાખી શકયો નહિ. દુકાન પડી ભાંગી. પાસે મૂડી હતી તે કોટ અને વકીલાના ખરચમાં વપરાઈ ગઈ. હવે શું કરવું ? કુટુંબનું ગુજરાન કેમ કરવું તેની સૂઝ પડતી નથી. કયાંય નાખી. નજર પહેાંચતી નથી. તે શૂન્યમનસ્ક થઈ ગયા છે. હતાશ, ભગ્ના ઈને આપઘાતના વિચારે ચઢયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy