SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વારસદારે માટે પણ કમાવું ન હોય તે બીજા લેકે માટે માણસ શા માટે મહેનત કરે ? (૪ થી ૧૧) તમામ સિદ્ધાંતો સરમુખત્યારીને જડબેસલાક બનાવ વાના અને માનવીઓને માનવી મિટાવી દઈ પક્ષના સત્તાધારી એના મનસ્વીપણાના ગુલામ બનાવી દેવાનાં છે. 'તેમના જે પગલાંઓને તેઓ નેશનાલિઝમ તરીકે એટલે કે રાષ્ટ્રીયકરણ તરીકે ઓળખાવે છે તે ખરું જોતાં રાષ્ટ્રીયકરણ નથી પણ સરકારીકરણ છે. સામ્યવાદની કૂરતા સામ્યવાદ મૂડીવાદના હાથમાંથી શોષણ કરવાનાં સાધને અને શેષણ કરવાને અધિકાર આંચકી લેવા માગે છે, પણ એ સાધનેને અને અધિકારને નાશ કરવાને બદલે એ પિતાના હાથમાં રાખવા માગે છે અને તે પિતાના હાથમાં રહી શકે માટે મૂડીદારે કરતાં તે વધુ કુર, વધુ હિંસક અને વધુ અમાનુષી બને છે. સામ્યવાદની પણ ધનની અમર્યાદ લાલસા સામ્યવાદને પણ ધનની લાલસા છે. સત્તાની લાલસા છે. જે સાધને વડે એ ધન મેળવવા માગે છે તે સાધને શોષણ વિના કામ આપી શકે તેમ નથી. એટલે તેણે પણ બીજી પ્રજાઓનું અથવા પિતાની પ્રજાનું શોષણ કરવું જ પડે છે. બીજી પ્રજાઓનું શોષણ થઈ શકે માટે પિતાની સલામતીના બહાને નીચે પડેશી રાજ્યના સાર્વભૌમપણને ભંગ કરીને ત્યાં પિતાની પૂતળા સરકારે બેસાડવા અને તેની સામે પ્રજાકીય બળ થાય તે પિતાનાં લશ્કરે ત્યાં મોકલવાં પડે છે. માર્કસ વર્ગ-વિગ્રહ દ્વારા વર્ગવિહીન સમાજરચના કરવા માગતે હતું અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની આશા હશે. પરંતુ હકીકતમાં તે સામ્યવાદમાં જ વર્ગ-વર્ગ વચ્ચે વિગ્રહ જાગી પડ્યો. આજે બને વર્ગના સામ્યવાદીએ પિતાના કટ્ટા દુશ્મન મૂડીવાદીઓની મદદ લઈને પણ વિધી સામ્યવાદીઓને નાશ થાય તે કરવા સમ્મત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy