SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ રાક ઉપર ઉછરેલાં ઉંદરાના બચ્ચાનું વજન ઓછું હતું. તેમનાં - બચ્ચાંનાં શરીર ઉપર વાળ ઓછાં હતાં. તેમનાં બચ્ચાઓની આંખે નબળી હતી. અને તેમનાં બચ્ચાં એટલે કે જેથી પેઢીએ તેઓ નપુસંક બની ગયા હતા. ઉદ્યોગોના આશિક નેહરુએ પ્રજાને શુદ્ધ ઘી ખાવા ન દીધું: આ હેવાલને આધારે ફરીથી લેસભામાં વનસ્પતિ બંધ કરવાની માગણી થઈ. અને નેહરુને પુણ્ય પ્રકોપ સળગી ઊઠી. તેણે કહ્યું કે, એક લેબોરેટરીના પ્રયોગ ઉપર વિશ્વાસ રાખી શકાય નહિ એટલે ભારતની જુદા જુદા રાજ્યની ૧૬ બેરેટરીને આની તપાસ કરવાનું કહેવામાં આવ્યું. એવી કવાયકા હતી, કે ૧૬માંથી ૧૩ લેબોરેટરી એ વનસ્પતિ નુકસાનકારક હેવાને અને તે બંધ કરવું જોઈએ એ મત આપ્યો હતે. જે લોકસભામાં વાંચવામાં આવ્યું નહિ પણ -ત્રણ લેબોરેટરીઓએ ગમે તે કારણે એ રિપટ આપે કે તે તંદુરસ્તીને નુકસાન કરતું નથી. પણ તેમાં તેલનાં પિષક તત્વ નાશ પામતા હેવાથી તે તંદુરસ્તીને ફાયદાકારક પણ નથી. નેહરુએ આ તક ઝડપી લીધી અને વનસ્પતિ બંધ નહિ થાય એમ જણાવી દીધું. બંધની માગણી કરનારાઓને ચૂપ કરવા બીજું ફરમાન કર્યું કે વનસ્પતિ ઉદ્યોગે લેકિને પિષણ મળે માટે તેમાં વિટામીન એ અને ડી' ઉમેરવા પડશે અને તે ઉમેરાયાં છે એમ એના ડબ્બા ઉપર લખવું પડશે. વનસ્પતિને પ્રવેશાવવા નેહરુએ હિમાચલ પ્રદેશના પ્રધાનને “હાંકી કાઢ્યા. ને હિમાચલ પ્રદેશમાં વનસ્પતિ લાવવાની મનાઈ હતી. કારણ કે ત્યાં પશુધન સારા પ્રમાણમાં જળવાઈ રહ્યું હતું અને શુદ્ધ ઘીનું ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં હતું. ઉપરાંત જેમ આપણે આપણું બચત સેનામાં રેકીએ તેમ હિમાચલ પ્રદેશની પ્રજા પિતાની બચત શુદ્ધ ઘીમાં શેકતી. ઘરમાં નેટના બંડલ રાખવાને બદણ શુદ્ધ ઘીના -ડબા રાખવાનું તે પસંદ કરતી અને તેના ઉપર જ્યારે જોઈએ ત્યારે વ્યાજે પૈસા મેળવી શકતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy