SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તે બુદ્ધિજીવીઓના ક્ષેત્રે એકાણ વધી જાય અને ખેતી, પશુપાલન તેમ જ ગામડાના ગ્રામઉદ્યોગે પડી ભાંગે, જે અંધાધુંધીમાં પરિણમે અને રાષ્ટ્રની સલામતી જોખમાઈ જાય. રાષ્ટ્રને ખવડાવવાનું અને પ્રજાની જીવન જરૂરિયાત પૂરી પાડવાનું કાર્ય આ બાળકેએ જ પાર પાડવાનું છે. આ કાર્યમાં તેમને કેલેજની ડિગ્રીઓ કાંઈ જ કામમાં “આવે નહિ. તેમણે ખેતી કે પશુપાલન શીખવું હોય તેમણે તે માટે B. Ag. of Veternary surgeon-1 (8211 au 11 orza del. આ ડિગ્રી મેળવવા જે વિદ્યાથીએ ચારપાંચ વરસ કોલેજમાં બગાડે છે. તેમને માટે સરકાર એક લાખ રૂપિયાને માથાદીઠ ખર્ચ કરે છે તે અંદાજ છે. સરકારના આ લાખ રૂપિયા બગાડયા પછી પણ ડિગ્રીધારી ન તે ખેતી કરે છે, ન પશુપાલન કરે છે. એ તે માત્ર નોકરી શોધે છે. એમને ઠેકાણે પાડવા માટે નવી નવી બિનજરૂરી કેલેજે, ડેરી ડેવલપમેન્ટ એગ્રીકલ્ચરલ રિસર્સ કેટલ બ્રીડિંગ ફાર્મ -જેવી અનેક સંસ્થાઓ ઊભી કરીને બીજા અબજો રૂપિયાને ધુમાડે કરવામાં આવે છે, જેનાથી દેશને કશે ફાયદો થતો નથી, પણ પારવાર નુકશાન થાય છે. નવી અસ્તિત્વમાં આવતી આવી સંસ્થાઓ દ્વારા પરદેશીઓનાં હિત આ દેશમાં પ્રસરતા જાય છે. કરભારણ તેમ જ મેંઘવારીનું વિષચક વધુ ને વધુ વિસ્તરતું જાય છે. ગામડાંઓનાં આ બાળકોને ડિગ્રીની જરૂર નથી. તેમને જરૂર છે, સ્વચ્છ સુઘડ નિશાળની, જે દરેક ગામમાં સિમેન્ટ કે સ્ટીલને ઉપયોગ કર્યા વિના સ્થાનિક પથ્થર તથા ગાયનું છાણ અને માટી મેળવીને કરેલા ગોરા વડે બાંધી શકાય. ગ્રામ્ય નિશાળોના વિષય આ નિશાળમાં બાળકને લખતાં, વાંચતાં, હિસાબ કરતાં ખેતી અને પશુપાલનના સાદા નિયમે, પશુઓ અને ખેતીને એક સાથે સંબંધ, બને ક્ષેત્રને સમાજ સાથે સંબંધ, ધર્મ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy