SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્ર વર્તમાન પત્ર કાઢવાનું મ્યુનિસિપાલિટીએ સ્થાપવાનું, અને અંગ્રેજી શિક્ષણને પ્રચાર કરીને વધુ ને વધુ સરકારી નેકરીઓ મેળવવાનું વિચારતા હતા તેઓ પુરા અંગ્રેજ પરસ્ત બની ગયા. હતા.” (Sir Charles Trevelian before Parlimentary Committee of 1853) એ પ્રસિદ્ધ પત્ર ઈ. સ. ૧૮૫૩ની આ સર્વાગી તપાસ પછી કંપનીના ડાયરેકટરએ. ઈ.સ. ૧૮૫૪ની જુલાઈની ૧૯મીએ એજ્યુકેશનલ ડિસ્પેચ,' તરીકે પ્રસિદ્ધ પામેલે પત્ર ગવર્નર જનરલ લેડ ડેલહાઉઝીને મેક. આ પત્રમાં ડાયરેકટરોએ લખ્યું છે કે, “કેળવણુની આ નવી જનાને હેતુ વહીવટના દરેક ખાતાઓમાં વિશ્વાસુ અને હોશિયાર નકર અપાવવાને છે. ઉપરાંત તેને બીજે હેતુ એ છે કે ઈગ્લેંડના ઉદ્યોગ ધંધાને માટે જે અનેક પદાર્થોની જરૂર છે અને ઈગ્લેંડના દરેક વર્ગનાં લેકમાં ખૂબ ખપત છે એ બધા પદાર્થો વધારે પ્રમાણમાં અને વધુ નિશ્ચિતતાપૂર્વક સદા ઈડ પહોંચ્યાં કરે, અને તેની સાથે ઈંગ્લેંડના તૈયાર માલની ભારતમાં અનંત માગણી ઊભી થાય, તેમ જ તે ટકી રહે તે માટેના સંગે અને તેને અમલ કરનારા માણસે તૈયાર કરવાને છે.” યુનિવર્સિટીની શરૂઆત .સ. ૧૭૫૭ થી ૧૮૫૪ સુધીના ૯૭ વરસના ગાળામાં અંગ્રેજી રાજપુરુષને એ સમજાઈ ગયું હતું કે આ દેશમાં અંગ્રેજી સામ્રાજ્ય ટકાવી રાખવા માટે થોડા ભારતવાસીઓને અંગ્રેજી શિક્ષણ આપવું, એ રીતે તેમને પશ્ચિમ પરસ્ત બનાવી દેવાનું જરૂરી હતું. ૧૮૫૭નાં ભયંકર વિદ્રોહ ટેવેલિયનનાં મંતવ્ય યથાર્થ સાબિત કર્યા. એટલે ઈ.સ. ૧૮૫૭થી જ મુંબઈ કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપનાને કાયદે કરવામાં આવ્યું અને ઈ.સ. ૧૮૫૯ થી તે અમલમાં આવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy