SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ આખરે પૂરી તૈયારી સાથે બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા સાથે સીધા સંઘર્ષમાં ઊતર્યા. નવાબ સિરાજ-ઉદ્-દૌલા ખૂબ બહાદુર પણ ઉદાર અને ભોળો હતે. તેણે અંગ્રેજોને ઘણી વખત હરાવ્યા હતા. અને છતાં રહેમદિલીથી તેમને બંગાળમાં રહેવા દીધા હતા. આખરે લેર્ડ કલાઈવે બંગાળના વજીર મીર જાફરને બંગાળની ગાદી આપવાનું વચન આપીને ફે. એક શ્રીમંત વેપારી અમીચંદને રૂપિયા પચીસ લાખ આપવાનું વચન આપી ફેડે. તે બન્ને મારફત બીજા સરદાર અને ઉમરાને ફોડયા. નવાબને વફાદાર માત્ર એક જ સેનાપતિ રહ્યો. હતે. અને તે સેનાપતિ ઈ.સ. ૧૭૫૭મા પ્લાસીનું યુદ્ધ શરૂ થતાં જ તેપને ગળે વાગવાથી મરણ પામે, બીજા તમામ સરકારે ફૂટેલા હતા એટલે નવાબ વગર લયે હાર્યો અને કેદ પકડાયો અંગ્રેજોએ જે દગોફટકા અને વિશ્વાસઘાત કર્યા તેમનું વર્ણન કરવા માટે તે સે પાનાં પણ ઓછાં પડે, માટે બની ગયેલા બનાવે. ઉપર ઊડતી નજર ફેંકીને જ આપણે સંતોષ માનવે પડશે. અમીચંદને કરાર મુજબના પચીસ લાખ રૂપિયા એવું બહાનું કાઢીને ન આપ્યા કે એ કરાર તે પીળા કાગળ ઉપર લખાયા હતા. માટે તે આપવાના ન હોય. મીર જાફરને ગાદી તે આપી, પણ તેની સાથે એવી તે આકરી શરતે કરી કે તે શરતે પૂરી કરી શક્યા નહિ અંગ્રેજોની ખૂબી તે એ હતી કે તેમની શરતે પૂરી કરવામાં આવે તે તરત જ વધુ આકરી નવી શરતે રજૂ કરતા, અને તે પણ ન થાય તે ફરીથી વિગ્રહની ધમકી આપતા. આખરે મીર જાફરને ગાદીએથી ઉઠાડી મૂકીને તેને જમાઈ મીસ કાસિમને બંગાળને નવાબ બનાવ્યું. પણ તેની સાથે વળી વધુ આકરી. શરતે લખાવી. મીર કાસિમ એ શરતે પૂરી કરી શક્યો નહિ . અંગ્રેજો દ્વારા લૂંટની શરૂઆત મૌર કાસિમ સાથેની એક શરત મુજબ અંગ્રેજોએ બંગાળબિહાર વગેરે સ્થળોએ પિતાની કોઠીઓ એટલે કે નાના નાના કિલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy