SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આપણાં એ ચારે મહત્યનું નિકંદન કાઢવા, તેમણે આપણાં શસત્તા, અર્થકારણ અને સમાજ ઉપર પિતાને સંપૂર્ણ અંકુશ જમાવ જ પડશે, અને આપણાં મૂલ્યોનું નિકંદન કર્યા વિના ભારતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવે આકાશકુસુમ જે અશક્ય છે એ વાતની તેમને ખાતરી થઈ ગઈ હતી. હિંદુઓની રાજનીતિ, યુદ્ધનીતિ, વેપાર, હુન્નાર, ઉદ્યોગ, શિક્ષણ, વહાણવટું, એ તમામ વિષયેની તેમણે પૂરી માહિતી મેળવી લીધી હતી. એટલે પૂરી તૈયારી અને પૂરી પૂર્વજના સાથે તેઓ આગળ વધ્યા. પ્રજાના રાજકીય જીવન ઉપર કબજો જમાવવાની શરૂઆત જે રીતે અમેરિકાના મૂળ વતનીઓને તેમણે નાશ કર્યો તે વીતે અહીં સફળતા મળે તેમ ન હતું. જહાંગીર શહેનશાહના સમયમાં તેઓ ગરીબ વેપારી તરીકે અહીં આવ્યા. મોગલ શહેનશાહની ઉદારતાથી ખાસ હક મેળવીને અહીં વેપાર શરૂ કર્યો. પિતાના રક્ષણ માટે મોગલ શહેનશાહ પાસેથી મંજુરી મેળવીને સુરત, મદ્રાસ, કલકત્તા વગેરે સ્થળે કઠીએ એટલે કે શહેરની અંદર નાના કિલ્લા જેવાં પણ મજબૂત રક્ષણસ્થાને બાંધ્યાં. એ એવાં તે મજબૂત બાંધ્યાં હતાં કે ઈ.સ. ૧૬૬૪માં છત્રપતિ શિવાજીએ સુરત લૂંટયું ત્યારે તેમનાથી પણ એ કઠી જીતી શકાઈ નહિ. એકસો વરસ સુધી નાના નાના પ્રદેશ ઉપર પિતાને કબજે જમાવતા જઈને ભારતીય રાજવીઓની ઉદારતાથી ચકકસ પ્રકારની સગવડ મેળવતા જઈને તેઓએ અઢળક નાણું મેળવ્યું. પિતાનું અક્ષર પણ ઊભું કર્યું અને અંદરોઅંદર લડતા રાજવીએ અને નબળી પડેલી મોગલ સલ્તનતના સૂબાઓ વચ્ચે કુનેહપૂર્વક ઝઘડા વધારીને બે દુશમનેમાંથી એકને પક્ષ લઈ તેમને આપેલી મદદના બાલામાં અમુક અમુક વિસ્તારને પ્રવેશ મેળવી પિતાના રાજ્યની હદ બારતાં ગયાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy