SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે-સમયે દૂધ પીવાના ગુણ પ્રથમ પહેરમાં એટલે કે સૂર્યોદય પછીના પહેલા ત્રણ કલાકમાં દૂધ પીવાથી બળ અને વીર્ય વધે છે. ભૂખ લાગે છે. મધ્યાહ કાળે એટલે કે બપોરે દૂધ પીવાથી બળ વધે છે. કફ અને પિત્ત નાશ પામે. છે, તે અગ્નિદીપક છે, એટલે ખાધેલા અન્નને પચાવે છે. બાળકોના શરીરને બાંધે વધારે છે અને ક્ષય રોગને નાશ કરે છે. રાત્રે દૂધ પીવાથી અનેક રોગોનું શમન થાય છે. સૂતી વખતે દૂધ પીને સૂઈ જવાથી દિવસભરને તમામ શારીરિક અને માનસિક થાક ઊતરી જાય છે. શરીરને તેમ જ બુદ્ધિને લાગેલે ઘસારે પુરાઈ જાય છે. માટે તંદુરસ્ત રહેવા ઇચ્છતા અને વૃદ્ધાવસ્થાના રેશે તેમ જ નબળાઈથી બચવા ઈચ્છતા કે એ ત્રણે કાળ દૂધનું સેવન કરવું જોઈએ. જેની પાચનક્રિયા ખામીરહિત છે, જેનું શરીર ક્ષીણ (સુકાએલું) છે એવા–બાળક યુવાન, વૃદ્ધ-તમામને માટે દૂધ હિતકારી છે, દૂધમાથી શરીરમાં તત્કાળ વિર્ય ઉત્પન્ન થાય છે, અનાજમાંથી વીર્ય પેદા થતાં એક મહિને લાગે છે, અને ડાં, માંસાહાર તેમજ બીજા તામસી પદાર્થો ખાવાથી વીર્યને ક્ષય થાય છે. જે લેકે અત્યન્ત તીખા, ખાટા, કડવા, ખારા, દાહજનક, લુખા, ગરમી પેદા કરનારા અને એકબીજાથી વિરુદ્ધ ગુણવાળા પદાર્થો ખાતા હોય તેમણે તે અવશ્ય દૂધ પીવું જોઈએ. જેથી અગ્ય ખરાથી પિદા થતી અહિતકારી અસર મંદ બને. ન પીવા જેવું દૂધ જે દૂધના રંગમાં ફેર પડી ગયા હોય, ખરાબ સ્વાદવાળું હેય, ખટાશવાળું હેય, ખરાબ વાસવાળું હોય અથવા ગઠ્ઠા બાઝી ગએલું હોય; દેહ્યા પછી લાબા સમયથી ગરમ કર્યા વિનાનું હોય તેવું દૂધ પીવાથી નુકસાન થાય છે. ખારા અને ખાટા પદાર્થો સાથે દૂધનું સેવન કરવાથી લેહીના શિકાર થાય છે, જે નરી આંખે નથી દેખાતા પણ વિવિધ રોગ દ્વારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy