________________
દેખા દે છે. ગરમ કર્યા વિનાનું દૂધ લાંબે સમય સુધી રાખી મૂકવાથી (પછી ભલે તે ફ્રીજમાં રાખ્યું હોય તે પણ) તેના ગુણ નાશ પામે છે, અને અવગણે ઉત્પન્ન થાય છે. ગરમ કર્યા વિનાનું દૂધ ચાર કલાક સુધી અને ગરમ કરેલું દૂધ આઠ કલાક સુધી પીવાલાયક ગણાય છે.
એક મત તે એ છે કે દૂધ સીધું પિતાના મોઢામાં આંચળની ધાર લઈને પીવું ઉત્તમ છે. એનાથી ઓછું ગુણકારી જે વાસણમાં દોહ્યું હેય તેમાંથી તરત પી લેવું. દૂધ દોહવાય ત્યારે તેમાં ઉષ્ણુતા હોય છે. તે ઉષણતા ચાલી જાય પછી તે તે ગરમ કરીને જ પીવું. દૂધ સુપાચ્ચ રાખવા માટે તેમાં એક ઊભરો આવે ત્યાં સુધી જ ગરમ કરવું. તે જેમ જેમ વધુ ઘટ્ટ થાય તેમ તેમ પચવામાં ભારે, સ્નિગ્ધ અને અધિક વીર્યવર્ધક બને છે. પણ જેમની પાચનશક્તિ ખૂબ સતેજ હોય એવા યુવાન માણસોને જ એ ફાયદો કરે.
ગાયના દૂધમાંથી બનાવેલા પેંડા, બરફી, રબડી, ઈત્યાદિ પદાર્થો બલવર્ધક, હિતકારી, વીર્યવર્ધક અને શરીરનું ઓજસ વધારનારા છે. આળકોને ફ્લેટ, પીપરમેન્ટ, બિસ્કીટ વગેરે ખવડાવવાથી નુકસાન કરે છે. પેટ અને દાંત બગાડે છે. જ્યારે પેંડા ફાયદો કરે છે. રીકેટ સામે બાળકોનું રક્ષણ કરે છે.
બનેના ઉછેર પાછળના હેતુઓ પશ્ચિમી ઢબના અને ભારતીય ઢબના પશુઉછેરની રીત અને પશુઉછેરે પાછળની ભાવનામાં જમીન-આસમાનને ફરક છે. પશુ પાછળની ભારતીય ભાવના પશુઓ જીવનપર્યત સુખપૂર્વક વધુમાં વધુ સમય જીવે, મનુષ્યને અને પૃથ્વીને ઉપયોગી બને અને પિતાનાં કુદરતી મોતે મરે એવી વ્યવસ્થા કરવાની છે. - જ્યારે પશ્ચિમી ઢબને ઉછેર તદ્દન જંગલી, પશુઓનું નિર્દય શેષણ કરીને ચાર-પાંચ વરસમાં તેમની દૂધ આપવાની શક્તિમાં એટ આવે ત્યારે ત્રાસજનક રીતે તેમને મારીને ખાઈ જવાની દુષ્ટ ભાવનાવાળો છે. પશ્ચિમ-ભક્ત ભારતીએ પશ્ચિમની ગાયના દૂધના મેટા પ્રમાણમાં વખાણ કરતાં થાક્તા નથી, પણ એ વધુ દૂધ મેળવવા તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org