________________
૮૩
અકરીના દૂધના ગુરુ સાથે એના દૂધના ગુણુ મળતા આવે છે. તે અકરીના દૂધ કરતાં ઘણું ઘટ્ટ હાય છે, અને પચવામાં બકરીના દૂધ કરતાં ભારે હોય છે, તે પીવાથી દાઝેલા દૂધની વાસ આવે છે.
ગધેડીનું દૂધ
ગધેડીનું દૂધ ગરમ, કફ્ અને વાયુને નાશ કરનાર, બળ આપનાર, ભૂખ લગાડનાર, બુદ્ધિને મદ કરનાર અને બાળરોગ, ખાંસી તેમ જ શ્વાસને મટાડનાર છે. બાળકોને મેટી ઉધરસમાં ખૂબ ઉપયાગી છે. પશુ તે દોહીને તરત પી જવું જોઈએ. નહિ તે તે મગડી જાય છે અને પીનારને નુકસાન કરે છે.
સમય-સમયના અને વિવિધ પ્રક્રિયા કરેલા દૂધના ગુણ
ગાયનું ધારાળુ (શેડકઢું) દૂધ બળ આપનારું, પચવામાં હલકું, -8ંડક આપનાર, ભૂખ લગાડનાર, ત્રિદોષના નાશ કરનાર છે. મહાભારતમાં રાજા યુધિષ્ઠિરે તેને દુનિયાના અમૃત તરીકે વર્ણવેલ છે.
ભે'સનું દૂધ પણ ધારાખ્યુ હોય તેા ઉત્તમ છે, પણ પચવામાં બહુ ભારે છે. ખકરીનું દૂધ ગરમ કરી ઠારીને પીવું જોઇએ; પણ ઘેટીનું દૂધ ગરમ કરીને ગરમ ગરમ હોય ત્યારે જ પી જવું જોઇએ.
ગરમ ગરમ દૂધ પીવાથી કફ અને વાયુને નાશ થાય છે, અને મરમ કર્યા પછી ઠંડું કરીને પીવાથી પિત્તનો નાશ થાય છે. દૂધમાં દૂધ કરતાં અડધું પાણી નાખી, એ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને પછી પીવાથી કાચા દૂધ કરતાં પચવામાં વધુ હલકુ છે.
શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં પણ ચન્દ્રની વધઘટ પ્રમાણે દૂધના ગુણમાં ફેર પડે છે. જે ગાય રાતે ઘરમાં ખાધેલી હાય તેમનું દૂધ સવારે વધુ ઠંડું અને પચવામાં ભારે હાય છે, પણ જે ગાયે રાતે પણ જંગલમાં ચરવા જાય છે તેમનું દૂધ પચવામાં હલકુ હાય છે. સવારનું દૂધ સાંજના દૂધ કરતું વધુ ઠંડું હાય છે. સવારના દૂધ કરતાં સાંજનું દૂધ વધુ હલકું અને વાત-કફને વધુ સહેલાઇથી દૂર કરનારું હાય છે. જ્યારે સવારનું દૂધ પિત્તજન્ય રાગેાને સહેલાઇથી દૂર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org