SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ' ના , ઉપર માલીશ કરવાનું તેલ પણ બનાવી શકાય છે. જે ખાવા-પીવામાં અને આહાર-વિહારમાં યોગ્ય સાવચેતી રખાય તે સંપૂર્ણપણે રોગમુક્ત થઈ જવાય છે. ઘેટી પણ રેજ સરેરાશ દેઢ લીટર દૂધ આપે છે. તેની ઉપયોગિતા અને દેશમાં દૂધને દુકાળ અને ઠંડીથી મરી જતા માણસ માટે તેને ઊનનાં કપડાં બને છે તે દષ્ટિએ લકવાના અને પિલિયેના આ યુગમાં તેનું રક્ષણ અને તેને ઉછેર તથા સંવર્ધન અનિવાર્ય બની ગયું છે. પણ આ દેશની પ્રજાનું એ એક મેટું કમભાગ્ય છે કે તેને દરેક સરકાર ગાય, બળદ, ભેંસ, અને ઘેટાં-બકરાંની અઘેર કતલમાં રાચનારી જ મળી છે. હરણીનું દૂધ : હરણના દૂધના ગુણદોષ બકરીના દૂધ મુજબ જ સમજવા. બકરીના દૂધમાં ઘણી જૂની ઈંટને વસ્ત્રગાળ સૂકે મેળવી માલીશ કરવાથી હાડકા ઉપરને સેજે મટે છે. મા વિનાના બાળકને અથવા જેને દૂધ ન આવતું હોય એવી સ્ત્રીના બાળકને અથવા જેની માતા બિમાર હેય એવા બાળકને બકરીનું દૂધ આપવું જોઈએ. માતાને પૂરું દૂધ ન આવતું હોય તે તેને પચાવી શકે તેટલું ગાયનું દૂધ આપવાથી પૂરું ધાવણ આવે છે. ઘડીનું દૂધ ઘેડીનું દૂધ રૂક્ષ, ગરમ, બલકારક, તૃષા મટાડનાર, વાયુનાશક, પચવામાં હલકું અને સ્વાદિષ્ટ છે. તે જ પ્રમાણે જે પશુઓ એક જ ખરીવાળાં હેય તેમના દૂધના ગુણ-દેવ પણ ઘોડીને દૂધ જેવા જ હોય છે. ઊંટડીનું દૂધ : ઊંટડી હડે ભરીને દૂધ આપે છે. તેનું દૂધ રૂક્ષ, ગરમ, ખારાશ પડતું, કફનો નાશ કરનાર, વાયુનાશક, પચવામાં હલકું, કૃમિ અને હરસ મટાડનાર છે. પેટનાં દરદમાં પણ હિતકારી છે. બકરીની માફક ઊટ પણ તમામ ઝાડપાન અને વનસ્પતિઓ ખાઈ જાય છે એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy