SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલમાં ફરનારી બકરીનું દૂધ ખૂબ પાતળું અને અમુક પ્રકારની ન ગમે તેવી વાસ મારતું હોય છે. હવે ખેરાકમાં ફેર પડવાથી દૂધમાં વાસ આવતી નથી, તે ઘટ્ટ બન્યું છે અને તેમાં ઘીનું પ્રમાણ પણ વધ્યું છે. વીસમી સદીના આરંભમાં એક સારી બકરીની કિંમત બે આના એટલે બાર નવા પૈસા હતી, હવે કતલને કારણે સંખ્યા ઘટી જવાથી અને ગાયભેંસને સ્થાને તેની માગ વધવાથી, માગ અને પુરવઠાની સ્થિતિ ખેરવાઈ ગઈ છે એટલે હવે એક સારી બકરીની કિંમત ૨૦૦ થી ૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે રીતે કતલખાનાં વધતાં જાય છે તે જોતાં એક બકરીની કિંમત ૧૦૦૦ રૂપિયા થઈ જાય તે આપણે નવાઈ પામશું નહિ. ભારતે આ એક વિશ્વવિક્રમ કર્યો છે કે તેની બકરીની કિંમતમાં ૭૦ વરસમાં ત્રણ લાખ ટકાને અને ગાય-ભેંસની કિંમતમાં ૩૦ હજાર ટકાને વધારે થયે છે. બકરીના દૂધમાં ઘણી વિશિષ્ટતાએ હેવા છતાં તે ગાયના દૂધનું સ્થાન લઈ શકે નહિ, કારણ કે ગાયના દૂધમાં રોગ અને ઝેર દૂર કરવાની, રેગેને પ્રતિકાર કરવાની શક્તિ આપવાની, આંખોનું તેજ અને બુદ્ધિ સતેજ કરવાની શક્તિ છે, તે બીજા કોઈ દૂધમાં નથી. ઘટીનું દૂધ: - ઘેટીનું દૂધ ખારાશવાળું, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરમ અને પથરીને - નાશ કરનારું છે. હૃદયરેગવાળાએ ઘેટીનું દૂધ પીવું જોઈએ નહિ, કારણ કે તેથી નુકસાન થાય છે. તે પીનારને તૃપ્તિ આપે છે. પચવામાં ભારે છે. વાયુથી થએલી ખાંસીમાં અને વાયુથી થએલા રોગોમાં ખૂબ ઉપયોગી છે. અને ઘેટીના ખૂબ ગરમ કરેલા દૂધમાં કારલિક સાબુને ભૂકો નાંખીને ખૂબ હલાવીને, કરીને મલમ જેવું થાય ત્યારે પિલિ-લકવા અને બોન ટી. બી. (અસ્થિ ક્ષય) ઉપર લગાડવાથી ખૂબ ફાયદો થાય છે. એ દૂધ સાથે બીજી વનસ્પતિઓ મેળવીને પિલિયે અને લકવા ભા. ૨-૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy