SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ અંગ્રેજોએ ગાય-આધારિત અર્થતંત્ર તોડયું, અને પણ અંગ્રેજો આપણી તાકાતનું મૂળ પારખી ગયા. તેમણે ગાયને મારી, ગોવધ સામેના લકેના ઉગ્ર વિરોધને શાન્ત કરવા ગોવધની જરૂરિયાતને અને માંસાહારને પ્રચાર કર્યો. ગાય-આધારિત ભારતીય અર્થતંત્ર તેવું. ગામડાં ભાંગીને શહેરે વિકસાવ્યાં. ગામડાંઓ સ્વાવલંબી હતાં અને ત્યાંથી નીકળતાં સમૃદ્ધિનાં ઝરણું શહેરમાં મળીને શહેરોને સમૃદ્ધિથી છલકાવતાં. ગામડાંઓની સમૃદ્ધિનાં ઝરણું સૂકવી નાખીને તેમને વેરાન, નિર્ધન, બેકાર બનાવીને શહેરની દયા ઉપર જ જીવે એવી સ્થિતિ નિર્માણ કરી. ગામડાઓનું શોષણ કરવા શહેરમાં યંત્રો સ્થાપ્યાં, અંગ્રેજી ભણેલાઓને રાજ્યમાં પ્રતિષ્ઠા આપી, તેમના દ્વારા લેકેને ભારતીય સંસ્કૃતિ, રીતરિવાજ અને ધર્મ તરફ ઉદાસીન બનાવ્યા. પરિણામે આપણે સમૃદ્ધિ ગઈ, ગરીબાઈનાં પગરણ થયાં. ચીજવસ્તુઓની અછત વધતી ગઈ, મોંઘવારી અને લેકેનું શોષણ વધતાં ગયાં. શહેરોએ તેમને માલેતુજાર બનાવનાર ગામડાઓને જ ભાંગ્યાં અને શહેરોમાં સ્થાપિત હિતેએ શહેરીઓને ચૂસ્યા. આપણું આખું સામાજિક માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું. ઔરંગઝેબના લશ્કરમાં ઘોડેસવારને પગાર મહિનાના બે રૂપિયા હતું. જેમાંથી તેના ઘડા અને કુટુંબના નિર્વાહને ખરચ માત્ર એક રૂપિયે આવતે, અને એક રૂપિયાની તેની બચત રહેતી. આજે બે રૂપિયામાં માણસ એક ટંક પણ પિટ ભરીને ખાઈ શકતું નથી. ગાયની કતલે પરિસ્થિતિ કેવી વસાવી છે તેને આ સચોટ દાખલ છે. છતાં ગરીબી વધી છે ( ઈ. સ. ૧૭૬૦ થી ૧૯૭૮ સુધીના ૨૧૮ વરસમાં કઈ પરદેશી- એ આ દેશ ઉપર ચડાઈ કરી નથી. અને ઈ. સ. ૧૮૫૭ પછી તે આ દેશમાં સંપૂર્ણ શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહ્યાં છે, છતાં આપણી સુશ્કેલીઓ અને ગરીબી વધતાં જાય છે કારણ કે ગાયની અને બીજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy