________________
-
૩૬
ગામડાનાં ઉત્પાદકકેન્દ્રો બૅબમારીથી બચતાં રહીને શહેરનાં વેપાર કેન્દ્રો સાથે તમામ વહેવાર બળદગાડા મારફત ચાલુ રાખી શકે. '
બળદગાડાના વહેવારને વિકસાવે રાષ્ટ્રના વાહનવહેવારની જીવાદેરીસમા અને સંરક્ષણની મહત્વની કડીમા બળદગાડાને વહેવારને વિકસાવવાનાં, વધુ મજબૂત અને વધુ ઝડપી બનાવવામાં કઈ પણ પગલાં આપણે લીધાં નથી. એથી ઊલટું, ઔદ્યોગિક પેઢીઓની જરૂરિયાતે ખાતર પશુઓના ખેરાકની આડેધડ નિકાસ કરીને આપણા બળદોના પુરવઠાને અને તેમની શ્રમશક્તિને ભાંગી નાખીને સંરક્ષણની આ મહત્વની કડીને નિર્બળ બનાવી નાખી છે.
અજેય આંતરિક શક્તિ પેદા થશે આ મ્બના હુમલા સામે બચાવની વ્યવસ્થા કરવી હોય તે તે માટે ગાય-આધારિત ભારતીય અર્થવ્યવસ્થા એક મહત્વની બાબત છે. ગાય અને ચરખા-આધારિત ભારતીય અર્થવ્યવસ્થામાં દરેક ગામડું અને કસબ સ્વાવલંબી બનીને ઊભા રહે એ એક અતિ મહત્વની બાબત
છે. એમ થવાથી દેશમાં એક એવી આંતરિક શક્તિ પિદા થાય, જેને અ મ્બથી નાશ થઈ શકે નહિ. .
કારણ કે ગામડાંઓ સ્વાવલંબી હતાં, હજાર વરસેને ભારતને ઇતિહાસ તપાસ. સિકંદર આવ્યું. હૂણ, શક, સિથિયને આવ્યા. આરબ, મહમદ ગઝની, ઘેરી, અને ચંગીઝખાન. તૈમુર, નાદિરશાહ એને અબ્દુલ્લી આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વંટોળીઆની માફક વિનાશ વેરતા આવ્યા અને ગયા, તેમણે મોટાં શહેરે લૂટયાં, બાળ્યાં, કતલે ચલાવી અને ગાડાં ભરીને ધન લઈ ગયા. પણ ભારતની સમૃદ્ધિ ઘટી નહિ. એને સામને કરવાની તાકાત હણાઈ નહિ. કારણ કે ભારતનું હૃદય એનાં ગામડાંઓમાં ધબકતું હતું. ગામડાંઓનાં ઘરઘરમાં તેના ઉદ્યોગો ચાલતા હતા. એનાં શક્તિ, સંસ્કૃતિ અને ગૌરવસમું અર્થતંત્ર ગાય અને ચરખાની આસપાસ ગુંથાએલું હતું. ગાય દરેક ઝુંપડે બંધાઈ હતી. દરેક ગામડે અને દરેક ઝુંપડે ભાસતી, એ શક્તિને હણવા પરદેશીએ સમર્થ ન હતા.
•
" "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org