SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસક શક્તિ છે અને શાંતિમય ઉપગના નામે એને ઉપયોગ સમાજનું સીધું કે આડકતરું શેષણ કરવામાં થાય એ હિંસાને જ એક પ્રકાર છે. પીવાના પાણીને દુકાળ સજાશે? છે. આપણે કુદરતે આપણને બક્ષેલા ચારે શક્તિ કેન્દ્રો પશુહત્યા દ્વારા ગુમાવી દઈને વિવિધ પ્રકારની આપત્તિઓ વહોરી લઈને આખરે પાણીને દુકાળ વહેરી લીધું છે. સંભવ છે કે પીવાના પાણીને આ દુકાળ કોઈ સમયે લાખે મનુષ્યને ભેગ લેશે. કુદરતે આપેલી બક્ષિસને ઉપયોગ કરવાને બદલે હજી પણ એને નાશ કરવાનું ચાલુ રાખવામાં આવે છે. પાણી–વિહીન જમીનમાં નાશ પામેલાં નદી, નાળાં, તળાવ વગેરેને પુનર્જીવન આપીને જમીનના તળમાં ફરીથી પાણી ભરી લેવાને બદલે વધુ ને વધુ પાતાળકૂવાઓ દ્વારા જમીન નીચેના પાણીની સપાટીને વધુ ને વધુ નીચે ધકેલીએ છીએ. ધરતી ઉપર બળાત્કાર પૂર્વ બંગાલમાં પાકિસ્તાની બુદ્ધિશાળી બંગાળીઓને સીરીંજ દ્વારા તેમના શરીરનું લેહીનું છેલ્લું ટીપું ખેંચી લઈને મારી નાખતા, તેમ ટયુબવેલ દ્વારા પાણીનું છેલ્લું ટીપું ખેંચી લેવું એ ધરતી ઉપર નિય બળાત્કાર કરવા જેવું નથી? અને એટલેથી પણ ન અટકતાં હવે અણુશક્તિ દ્વારા જમીન ફેડીને કાઢવાના અથવા મોટી નદીઓના પ્રવાહ બદલવાના કે અણુશક્તિ વડે દરીઆના પાણીને પીવા લાયક બનાવવાનાં કારખાનાં ચાલુ કરવા માટે હિત ધરાવતા વર્ગ તરફથી પ્રચાર અને દબાણ કરવામાં આવે છે. શું પાણી દારૂ કરતાં મધું થશે? - જે આવું કાંઈ થશે તે જે કુદરતે આપેલી અમૂલ્ય બક્ષિસ છે, તે પાણુ ઉદ્યોગના હાથમાં પડીને વેપારવિનિમયની ચીજ (Commercial ડિommodity) બની જશે, અને દારૂ કરતાં પણ વધુ મધું વેચાશે. કઈ તો જાગે આપણે આમ છેક છેલ્લે તળીએ જઈને બેસીએ તે પહેલાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy