________________
૨૭ .
ચીનની સરખામણીમાં આપણું પામરતા. એની સરખામણીમાં આપણે આપણું દશા જોઈએ. કુદરતે આપણને ઊંચી જાતનું પશુધન, સમૃદ્ધ જંગલ, ફળદ્રુપ જમીન અને વિશાળ જળરાશીઓ રૂપી ચાર શક્તિ કેન્દ્રો આપ્યાં હતાં. પણ આપણા . રાજકર્તાઓને તેમાં શ્રદ્ધા કે તેમને સદુપયેગ કરવાની સૂઝ નથી. તેમણે એ ચારે શક્તિ કેન્દ્રોને નાશ આરંભે. પશુધનને સંહાર કરીને ખેતી માટે બળદ અને ખાતરને પુરવઠે તેમજ પિષણ માટે અનિવાર્ય એવા દૂધને પુરવઠો ઘટાડવા લાગ્યા.
શરમ શેમાં નેહરુએ એક વખત ઉકળાટમાં કહેલું કે, “મારા દેશના ખેડૂતોને - જનાપુરાણા હળ અને બળદ વડે ખેતી કરતા જોઉં છું ત્યારે મારું માથું
શરમથી નીચું ઢળે છે.” - માઓ ત્સ તુંગને જે વિશ્વાસ તેના ખેડૂતોમાં છે તે વિશ્વાસ આપણુ રાજકર્તાઓને આપણા ખેડૂત અને પશુધનમાં નથી, અને ર૭ વરસથી પરદેશીઓની દયા વડે પરદેશી અનાજ, ફર્ટિલાઈઝર, દૂધને. પાઉડર વગેરે આયાત કર્યા કરવામાં શરમ અનુભવતા નથી. આપણા ખેડૂતમાં વિશ્વાસ રાખતા નથી અને અમેરિકન, રશીઅન કે ઈઝરાઈલી નિષ્ણાતની સલાહ લઈને આપણા ખેતીવિષયક નિર્ણ લઈએ છીએ.
રાજકર્તાઓના અક્ષમ્ય અપરાધે. - આપણા રાજ્યકર્તાઓ પશુહત્યા દ્વારા દર વરસે ૭૫ લાખ હળ - બળદોને અભાવે નકામા પડવા દે છે. અઢી કરોડ એકર જમીનને ખેડ અને ખતરવિહોણી રાખે છે. દર વરસે નવા દોઢ કરોડ કુટુંબોને બળતણ પૂરું પડે એટલું છાણ પશુહત્યા દ્વારા ગુમાવીને તેમને કેરેસીનની . લાઈનમાં ઊભા રહેવાની ફરજ પાડે છે. આ પહેલા વિશ્વયુદ્ધ પૂર્વેના સમયમાં ગામડાંઓ અને નાનાં શહેરના. લોકોને છાણરૂપી બળતણ મફત મળતું, કારણ કે પશુધન કંઈક અંશે. સંચવાઈ રહ્યું હતું. જે અંગ્રેજી ભણેલા લેકેએ અંગ્રેજને ઈલેક્ટ્રિક કે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org