SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગેસથી રાંધતા જોયા તે તિરસ્કારથી કહેતા કે, “આ અધÖજંગલી હિંદીઓને છાણાં ખાળવા માટે ફાંસીએ ચડાવવા જોઇએ !” છાણુનું સ્થાન લાકડાંએ અને પછી ઇલેક્ટ્રિક, ગેસ અને કેરોસીને લીધું ત્યારે તેના વાર્ષિક ખરચ કુટુંબદીઠ પાંચથી છ રૂપીઆ આવતા. પણ જ‘ગલા કપાઇને મળી ગયાં. પશુધન કપાતું ચાલ્યું એટલે કેરીન, ઇલેક્ટ્રિક, ગેસની માંગ વધી; એથી એના માગ અને પુરવઠાની સમતુલા ખારવાઈ અને તેમના ભાવે વધતા ચાલ્યા. ત્રણ વરસ પહેલાં એક કુટુંબને બળતણના વાર્ષિક ખર્ચ ૩૦૦ રૂપિયા થઈ ગયા, અને આજે આજના ભાવની ગણતરીએ વાર્ષિક ૧,૦૦૦ રૂપિયા ખરચ થશે. અને છતાં તે માલ મેળવવા માટે લાકોની હાડમારી વધતી જશે. કારણ કે કેસીન આપણે પરદેશાની · ક્રયા વડે જ મેળવી શકીએ. ભાવેા કેમ વધે છે ? એ જ પ્રમાણે પશુહત્યા દ્વારા ૨૫૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું • છાણિયું ખાતર ગુમાવીને એટલી કિંમતનું ફર્ટિલાઇઝર આયાત કરીએ છીએ, અને તે છતાં દર વરસે નવી અઢી કરોડ એકર જમીન ખેડ અને ખાતરવિહાણી રહે છે, તેને પહેાંચી વળાતું નથી; પણ ખેતીના ખર્ચ વધે છે, તેને લીધે અનાજના ભાવા, તેની પાછળ ઔદ્યોગિક ચીજોના ભાવ, માંઘવારી ભથ્થાં, તેને પહેાંચી વળવા નવા કરવેરા, તેમાંથી કરચેરીની ભાવના, કાળું નાણું, ભ્રષ્ટાચાર, અસહા માંઘવારી, ફુગાવા, એમ એક પછી એક વિટંબણાઓ અને દૂષણેાનું વિષચક્ર વિસ્તર્યાં જ કરે છે. કારણ કે આપણે આપણાં ઉપલબ્ધ સાધનાના · વહેવારું ઉપયાગ કરવાને બદલે તેમને નાશ કરીએ છીએ. દરિયાઈ વાહનવહેવારને નાશ આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણી પાસે આશરે એક લાખ દેશી વહાણા અને ૨૨૫ વહાણવટાથી ધમધમતાં મંદરા હતાં. આ વહાણા આશરે ચારથી પાંચ કરોડ ટન માલની હેરફેર કરતાં અને લાખા માણસાને રોજી આપતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy