SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આપણાં ઉત્કૃષ્ટ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક મૂલ્ય જાળવી રાખવાં હોય તા દૂર દેશી વાપરી વહેલામાં વહેલી તકે પશ્ચિમી વિચારસરણી, રહેણીકરણી અને ખાનપાનના વધી રહેલા પ્રચંડ વેગને ખાળવા હિંદુ સંસ્કૃતિને એક પ્રચંડ મોરચા ઊભેા કરવા સિવાય બીજું માર્ગ નથી. ભારતીય નારીની જવાદારી આવે! મરચા રચવાનું કામ છે સાધુસંત અને મુનિભગવ તોનું, તેને સફળ બનાવવાની જવાબદારી છે ભારતની નારીજગતની. ગર્ભમાં જ બાળકને કેવું શિક્ષણ મળી શકે છે તેના એક દાખલે મહાભારતમાં છે. અર્જુનની પત્ની સુભદ્રાને બાળક અવતરવાનુ છે. તેને મેચેની થાય છે. ઊંઘ આવતી નથી. ત્યારે તેમના ભાઈ શ્રીકૃષ્ણ બહેનનું મન ખીજે દોરવા યુદ્ધના ચક્રવ્યૂહ કેમ રચવા તેને કેમ ભેદવા ? તેનું વર્ણન કરે છે. ગલ માં રહેલ બાળક અભિમન્યુ આ જ્ઞાન ગ્રહણ કરી લે છે. જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનની ગેરહાજરીમાં દ્રોણાચાયે પાંડવાન ધસારો રોકવા ચક્રવ્યૂહ રચ્યા ત્યારે તે તેડવાની આગેવાની અભિમન્યુએ લીધી હતી અને ચક્રવ્યૂહને છિન્નભિન્ન કરી નાખ્યા હતા. એવા જ દાખલે શ્રી શિવાજી મહારાજના છે. શિવાજીની માતા જીજીભાઈ મુસ્લિમેાના જુલમથી ત્રસ્ત બને છે. ગુરુ સલાહ આપે છે કે રાજ રામાયણનું વાંચન કરો. જીજીભાઈના ગર્ભમાં બાળક છે. રામાયણના વાંચનથી બાળકમાં સદાચાર, ચારિત્ર્ય અને પરાક્રમના સંસ્કાર ઊતરે છે. એ જન્મનાર બાળક તે શિવાજી મહારાજ તેમના ચારિત્ર્ય, પરાક્રમ વગેરે ઇતિહાસને પાને સુવણુ અક્ષરે લખાયા છે, જૌહર અને કેસરિયાં ભારત સિવાય કચાંય જોવા મળ્યાં નથી. જોહર અને કેસરિયાં કરનારાં બાળકો ભારતની રમણીઓએ જ જન્માવ્યા છે. કારણ કે એ નારીએ હિંદુ ધર્મશાસ્ત્રોએ પ્રેરેલા નિયમનું ટાલન કરતી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy