SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ રાવણ મહાવિદ્વાન હતું. તેણે વેદનાં ભાષ્ય લખ્યાં છે. તે જ્યારે લડાઈમાં ઘાયલ થઈને પડ્યો અને મૃત્યુની રાહ જેતે હતું, ત્યારે શ્રી. રામચંદ્રજીએ લક્ષમણને કહ્યું કે આ યુગના મહાન રાજકારણી, કુશળ પુરુષના જીવનને અંત આવે છે. હે ભાઈ, તમે તેની પાસે જાઓ અને તેની પાસેથી થોડું જ્ઞાન પ્રાપ્ત કરે. શ્રી રામચંદ્રજીએ પણ જેની વિદ્વત્તાને બિરદાવી એ રાવણ દારૂ અને માંસના સેવનથી તામસી. બને. તેની બુદ્ધિ આગળ અંધકારનું–અજ્ઞાનનું આવરણું બંધાઈ ગયું. અને કેઈ નબળી પળે ન કરવાનું કરી બેઠો. સીતાનું હરણ કરી આવે જ્યારે શરીરનું લેહી બધું વહી ગયું અને છેલ્લા શ્વાસ લેતે હતું ત્યારે તેને પિતાની ભૂલ સમજાઈ. શિખામણ સાંભળવા આવેલા લક્ષમણને કહ્યું કે, હવે મૃત્યુ નજદીક છે, ત્યારે વધુ બેલવાની મારામાં શક્તિ નથી. વધુ કહેવાને સમય પણું નથી. એક જ વાત ધ્યાનમાં રાખજો. સારું કામ કાલ ઉપર મુલતવી ન રાખવું. ખરાબ કામ હમેશાં મુલતવી રાખવું માટે ઘણાં સારાં કામ કરવાનાં હતાં તે મેં ન કર્યા અને ન કરવાનું કરી બેઠે. બેટો નિર્ણય લેવાઈ ગયે અને મારી આ હાલત થઈ છે. [ આ પ્રસંગે અજૈન રામાયણમાંથી લીધેલ છે.] પ્રગતિની સાચી વ્યાખ્યા * કોઈ શંકા કરશે કે વિશ્વનાં તમામ પ્રજાઓ માંસાહારી અને | દારૂ પીનારી છે. શું તેઓ ખેટા નિર્ણય લે છે? પેટા નિણ. લેતી હોય તે આટલી આગળ કેમ વધી છે? - આગળ વધ્યા કોને કહેવું એને માટે હમેશાં બે મત પ્રવતેજ છે. હિંદુ તત્વજ્ઞાન, હિંદુ તર્કશાસ્ત્ર પ્રમાણે એ તમામ જે આગળ વધતી હોય તે મહાવિનાશ તરફ આગળ વધી રહી છે, સુખશાંતિ અને સમૃદ્ધિ તરફ નહિ. આ વિષયને સંકુચિત પટ ઉપર જોઈએ તે સમર્થ પુરુષોએ કેવા ખોટા નિર્ણય લઈને પિતાને અને વિશ્વને નુક્સાન પહોંચાડવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy