________________
આપણા સમાજનું અવમૂલ્યન થતું જાય છે. ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા છિન્નભિન્ન થતી જાય છે.
પરદેશી વિચારસરણી અને પરદેશી જીવનપદ્ધતિ સામેના અભેદ્ય દુર્ગ સમી આપણી જ્ઞાતિસંસ્થાઓને આવી વ્યક્તિઓએ છિન્નભિન્ન કરી નાખીને સમાજને નિબળ, હતાશ અને જીવનની દિશાસૂઝ વિનાને કરી નાંખે છે.
જેમ તામસી અને અખાદ્ય એટલે કે માંસ આદિ ખોરાકથી મનની આસપાસ અજ્ઞાનનું આવરણ બંધાય છે, અને મન તેમજ બુદ્ધિ તામસી પ્રકૃતિનાં બની જાય છે, તેમ સાત્વિક ખોરાક પણ જે દુષ્ટ માણસના ઘરને હેય, અથવા દુષ્ટ માણસના હાથને હોય તે તે ખાવાથી પણ અનર્થકારી પ્રવૃત્તિ થઈ જાય છે, અને મનુષ્ય પોતાની ફરજ ભૂલી જાય છે, બેટા નિર્ણય લઈ બેસે છે, અથવા ન સુધરી શકે તેવી ભૂલ કરી બેસે છે. જેના દાખલા મહાભારતમાં તેમજ વર્તમાન ઈતિ- હાસમાં પણ જોવા મળે છે.
ભીષ્મ પિતામહ તેમના જમાના સહુથી મોટા વિદ્વાન નીતિજ્ઞ, પરાક્રમી અને યુદ્ધવિદ્યાના જાણકાર હતા. તેઓ કૌરની સભામાં બેઠા હતા અને રજસ્વલા દ્રૌપદીને એટલે ઝાલીને તેને ભરસભામાં દુશાસન ખેંચી લાવ્યા.
દ્રૌપદીએ ભીષ્મ પિતામહ પાસે રક્ષણની માગણી કરી. જેની સામે આંખ ઊંચી કરવાનું પણ કેઈનું ગજું ન હતું એવા પિતામહ નજર નીચી કરીને બેસી રહ્યા.
આમાંથી મહાભારત યુદ્ધ શરૂ થયું.
જિંદગીમાં કદી પરાભવ ન પામેલા ભીષ્મ અર્જુનનાં બાણે પાસે ઝાંખા પડે છે. : - કૌરનાં સૈન્યનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે એક દિવસ રાતે દુર્યોધન યુધિષ્ઠિરના તંબુમાં આવીને પૂછે છે કે, “હે યુધિષ્ઠિર ? તમે સત્યવક્તા છે, માટે સાચું કહે કે ભીષ્મ પિતામહ મન મૂકીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org