________________
૧૭૮ નિદા અને કૂથલીમાં રસ લેવાથી બાળકના મગજ ઉપર કૂથલીપ્રિયતાની, નિદાખેરીની અસર થાય છે. મોટું થતાં તે પરનિંદામાં, નકામી કૂથલીમાં ભારે રસ લેતું થઈ જાય છે.
આજે આપણે સમાજના ઘણા મોટા ભાગમાં કૂથલી અને પરનિદાને રસ ફેલાએલે જોઈએ છીએ. સમાજસેવક, રાજપુરુષ, કેળવણીકારે, સાહિત્યકારે વગેરે સમાજને ઉચ્ચ કક્ષાને વર્ગ પણ આ ટેવથી મુક્ત નથી. તેઓ કલાક સુધી મળ્યા હોય છે ત્યારે જે. કાર્ય માટે તેઓ મળ્યા હોય, તે કાર્ય વિશે અથવા બીજી વધુ ઉપયોગી બાબતેની ચર્ચા કરતાં, કુટુંબની કે વ્યક્તિઓની નિંદામાં, ટીકામાં વધુ સમય ગુમાવતા હોય છે. ' તે બીજી એવી વ્યક્તિઓ પણ જોવા મળે છે કે જેઓને નકામી કુથલીમાં જરા પણ રસ હોતું નથી. તેને પિતાના કાર્યમાં જ અને કાર્ય ન હોય ત્યારે પિતાના વાંચન-મનનમાં જ મગ્ન રહેતા હોય છે.
રાંધેલુ અન્ન ખાવાની મનાઈ આ બન્ને પ્રકારની ટેવેનું કારણ બાળકને ગર્ભાવસ્થા દરમિયાન તેઓમાં એક યા બીજા પ્રકારના સંસ્કારે પાઈ ગયા હોય છે. - ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સાત્વિક આહાર જ લે જોઈએ. સાત્વિક આહારમાં ઘઉં, ચોખા, દૂધ, ઘી, મગ સાકર વગેરેને સમવેશ થાય છે. પરંતુ આયુર્વેદ અને ધર્મશાસ્ત્રોએ જ્યારે આ નિયમ ઘડ્યા ત્યારે બહારનું રાંધેલું તૈયાર અનાજ લઈને ખાવાની પ્રથા અમલમાં આવી ન હતી. શ્રી મનુભગવાને ધેલું અનાજ વેચવાની પણ મનાઈ ફરમાવી હતી.
આવી મનાઈ વર્ષો પહેલાં આપણને બિનજરૂરી, હાસ્યાસ્પદ લાગતી હતી. પરંતુ હવે જ્યારે ખાદ્યપદાર્થોમાં અખાદ્ય, અશુદ્ધ, હાનિ કારક અને શરીરમાં રોગપ્રેરક પદાર્થોની છૂટથી ભેળસેળ થવા લાગી છે ત્યારે સમજાય છે કે શ્રી મનુભગવાનની એ મનાઈ પાછળ કેટલું દૂરંદેશીપણું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org