SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] માતા અનશુદ્ધ; તે બાળક સત્ત્વશુદ્ધ માનસઘડતરની શરૂઆત માતાના ગર્ભમાં જ થાય છે. માતાના ગર્ભમાં બાળકનું શરીર બંધાય છે. તે ઉપરાંત તેનું માનસ પણ બંધાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા ગ્રંથાએ તામસી અને આયુર્વેદે તેમ જ એ મના કરેલા ખોરાકનું સેવન કરે તે બાળકના મનનું બંધારણ પણ તામસી અને અનીતિમય ઘડાય છે. બાળકના શરીરનું બંધારણ નીરોગી અને સુદઢ બને, મન પણ પવિત્ર, સાત્વિક બને માટે ગર્ભાશય સ્વચ્છ અને શુદ્ધ હોવા ઉપરાંત ખાનપાન પણ શુદ્ધ અને સાત્વિક હેવાં જોઈએ. * ગર્ભાશયની શુદ્ધિ માટે હિંદુશાસ્ત્રોએ ઘડેલા રદર્શનના નિયમો પાળવા જરૂરી છે. ગર્ભાશય શુદ્ધ ન હોય તે બાળક શરીરે રેગિષ્ઠ તેમજ વિકૃત માનસવાળું બને છે, વારંવાર ગેને ભેગ બને છે. - શાસ્ત્રોના નિયમ વિરુદ્ધ વર્તનથી થતું નુકસાન અશુદ્ધ ગભ અને અશાસ્ત્રીય આહારથી બાળક ઘણ વખત આંખના, પિટના અને ચામડીના રોગો લઈને જન્મે છે. આંખ નબળી રહે છે, પાચન નબળું રહે છે અથવા રતવા જેવા ભયંકર રોગથી પણ પીડાય છે. - માનસિક રીતે તે અલ્પબુદ્ધિવાળું, ઓછી યાદશક્તિવાળું, ખૂબ ઉગ્ર સ્વભાવનું અથવા તે વિકૃત માનસનું ધર્મ, સંસ્કૃતિ તેમજ સમા-જના નિયમની અવગણના કરનારું, સ્વચ્છેદી અને માતાપિતાની. અવગણના કરીને તેમને ત્રાસ આપનારું બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy